________________
અનિષ્ટત્વની સંજ્ઞાનો પરિહાર કરવા પૂર્વક શુભ-અશુભ વિષયોમાં તુલ્યતા ભાવવી એ સમતાયોગ છે. મન દ્વારા વિકલ્પરૂપ જે અન્યસંયોગાત્મક વૃત્તિઓ પ્રવર્તતી હોય છે અને શરીર દ્વારા (આત્મપ્રદેશોના) પરિસ્પન્દનરૂપ જે અન્યસંયોગાત્મક વૃત્તિઓ પ્રવર્તતી હોય છે. એ બન્ને વૃત્તિઓનો ફરીથી પ્રાદુર્ભાવન થાય એ રીતે નિરોધ કરવો એ વૃત્તિસંક્ષયયોગ છે.
વિવેચનઃ (૧) અધ્યાત્મયોગ – ઉચિતપ્રવૃત્તિવાળો અને વ્રતધારી એ બે સાધક જીવના વિશેષણ છે. તથા શાસ્ત્રવચનાનુસારી અને મૈચાદિભાવગર્ભિત એ બે તત્ત્વચિન્તનના વિશેષણ છે. ઉચિતઆચારનું પાલન અધ્યાત્મના પ્રતિબંધક તત્ત્વોને દૂર રાખનાર છે. સામાન્યથી, અનુચિત પ્રવૃત્તિ કરાવનાર કોઈ હોય તો એ કંઇક પણ પ્રબળ રાગ-દ્વેષ છે, અને એ જ અધ્યાત્મના મોટા શત્રુ છે. એટલે, પ્રવૃત્તિમાં અનૌચિત્યને ટાળનારો પ્રતિબન્ધકોને વર્જી શકે છે.* તો હોય જો આવું અવધારણ માનશો તો દેશવિરતને તો સંસારક્રિયા દરમ્યાન પણ દેશવિરતિ તો ઊભી જ રહેવાથી યોગની વિદ્યમાનતા સિદ્ધ કરવી પડશે, જે થઈ શકતી નથી, કારણકે તમે ઉપર નિશ્ચયથી જે સંગતિ કરી છે તે પણ શક્ય નથી, તે પણ એટલા માટે કે સંસારક્યિા દરમ્યાન પાપવ્યાપાર છે, ધર્મવ્યાપાર નહીં.
સમાધાન-યોગનું એક લક્ષણ છે – ‘ક્લિષ્ટ ચિત્તવૃત્તિનિરોધો યોગઃ દેશવિરત જીવ, સંસારયિા દરમ્યાન પણ પોતાની રાગાદિ ક્લિષ્ટ્રચિત્તવૃત્તિઓને એ વૃત્તિઓ અપ્રત્યાખ્યાનકક્ષાની ન થઈ જાય એ રીતે તો રુંધેલી રાખે જ છે, ને તેથી ધર્મવ્યાપાર સ્વરૂપ કે સ્થાનાદિ સ્વરૂપ યોગ ન હોવા છતાં, આ ક્લિષ્ટ્રચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ વિદ્યમાન હોવાથી કોઈ અસંગતિ રહેતી નથી. *વૃત્તિમાં વિતપ્રવૃત્ત આવો જે શબ્દ રહેલો છે તેને કેટલાક વિદ્વાનો પંચમ્યન્ત માની ઉચિત પ્રવૃત્તિપૂર્વક વ્રતને ધારણકરનાર જીવનું તત્ત્વચિન્તન એ અધ્યાત્મયોગ છે બાવો અર્થ કરે છે. આવો અર્થ કરવાની શી જરૂર છે એ સમજાતું નથી. વસ્તુતઃ આ ષડ્યન્ત શબ્દ છે ને સાધકનું વિડો " . વ્રતગ્રહણ કદાચ ઉચિતપ્રવૃત્તિ પૂર્વક ન હોય તો પણ, જો વ્રતગ્રહણ બાદ ઉચિતપ્રવૃત્તિવાળો બની જાય, તો અધ્યાત્મ હોવામાં કશો વાંધો નથી. ને ઉચિત પ્રવૃત્તિપૂર્વક વ્રતગ્રહણ હોવા છતાં જો પાછળથી અનુચિત પ્રવૃત્તિ કરે (વૈયાવચ્ચના અવસરે શાસ્ત્રસ્વાધ્યાય કર્યા કરે - વગેરે) તો કાંઈ અધ્યાત્મયોગ સંભવતો નથી. બેશક, ‘વ્રતગ્રહણ ઉચિત પ્રવૃત્તિપૂર્વક હોવું એ ઇચ્છનીય છે જ, પણ અધ્યાત્મ માટે એ આવશ્યક શરત બની શક્તી નથી. જ્યારે ‘ઉચિતપ્રવૃત્તિવાળા હોવું એ તો આવશ્યક શરત છે. માટે આ શબ્દને ષષ્યન્ત માનવો ઉચિત છે. અલબતુ યોગબિન્દુમાં વિત્યવૃત્તયુચ એવો પાઠ છે. છતાં ત્યાં પણ ઔચિત્યના કારણે વ્રતયુક્ત
(68)
યોગવિંશિકા....૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org