________________
અલબત્ તીવ્રભવાભિમ્પંગ સ્વરૂપ અત્યન્ત પ્રબળ રાગ-દ્વેષ ખસવા પર જ અપુનર્બલ્પકપણું પ્રાપ્ત થતું હોવાથી ત્યારથી જ ઔચિત્યપાલન હોય છે. પણ એ ભૂમિકામાં જે પ્રવૃત્તિરૂપ અને નિવૃત્તિરૂપ ઔચિત્ય હોય છે તેના કરતાં ઉપર ઉપરની અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ભૂમિકામાં પ્રવૃત્તિરૂપ અને નિવૃત્તિરૂપ... ઔચિત્ય અલગ-અલગ પ્રકારનું અને વિશેષ શુભ હોય છે. પ્રસ્તુતમાં દેશવિરતિ-સર્વવિરતિને ઉચિત એવા ઔચિત્યની વાત જાણવી, જે પ્રધાન (મૌલિક) અધ્યાત્મયોગનું સંપાદન કરે છે. અપુનર્બન્ધક તથા અવિરતસમ્યક્વીનું ઔચિત્ય ઉપચરિતયોગનું સંપાદન કરે છે એ જાણવું.
વ્રતધારી એવા વિશેષણનું કારણ પૂર્વ કહી ગયા છીએ.
શાસ્ત્રવચનાનુસારી – સ્વમતિ કલ્પનાનુસારી ચિન્તન એ તત્ત્વભૂત ન પણ હોય, પણ તત્ત્વાભાસ પણ હોય. તત્ત્વસ્વરૂપ વ્યવહાર શાસ્ત્રવચનના આધારે છે, કારણકે આત્માઅતીન્દ્રિય હોવાથી એના અંગે શાસ્ત્રજદીપક સમાન છે. શાસ્ત્રવચનોનું પણ માત્ર પુનરાવર્તન નથી કરવાનું, કેમકે એ તો શ્રુતજ્ઞાન છે. પણ એના પર ચિન્તન કરવાનું છે. આ ચિન્તન કરવાથી હેય-ઉપાદેયનો વિવેક વિશદ બનતો જાય છે.
મિત્રી વગેરે ભાવોથી ગર્ભિત ચિન્તન - જીવાદિ તત્ત્વોનું ચિન્તન જે કરવાનું છે તે મૈત્રી વગેરેયથાયોગ્ય ભાવોથી ગર્ભિત હોવું જોઇએ. “પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨૦૦૦ વર્ષ છે વગેરે ચિન્તન મનને સંકલ્પ-વિકલ્પોથી જરૂર બચાવે છે, પણ પરિણતિને એટલું સ્પર્શનારું હોતું નથી. પણ એ જો મૈત્રીભાવગર્ભિત બનાવાય તો પરિણતિસ્પર્શી જરૂર બને, એમ ધર્માસ્તિકાયાદિ વિષયક ચિન્તન અંગે પણ જાણવું.
ગુણાધિકકે પુણ્યાધિક જીવોને જોઈને, શાસ્ત્રો કહે છે એ મુજબ, ઈર્ષાભાવ ન લાવતા, ‘અહો! જબરો પુરુષાર્થ ફોરવ્યો ને ગુણ કેળવ્યો’ ‘ભાગ્યશાળી છે..
થયેલા એવો અર્થ કરવા કરતાં ઔચિત્યના કારણે વ્રતયુક્ત રહેલા’ એવો અર્થ કરવો વધારે ઉચિત છે, કારણકે ઉપર જણાવ્યા મુજબ ઔચિત્યની આવશ્યક્તા વ્રતયુક્ત થવા માટે જેટલી છે એના કરતાં વ્રતયુક્ત રહેવા માટે અનેકગણી વધારે છે. વળી અધ્યાત્માદિ યોગ વિરતિધરને છે. ચૈત્યવન્દનના અધિકારી પણ વિરતિધર છે. અને આ અધિકારી તરીકે લલિતવિસ્તરામાં વિતવૃત્તચ8 એવું જે કહ્યું છે, તેનો અર્થ પણ ઉચિતજીવનવૃત્તિ ધરાવનારા' જ છે. ‘ઉચિતજીવનવૃત્તિથી વ્રત પામેલા એવો નથી. ભિાવનાયોગ
(69)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org