________________
પુણ્યના ઉદયે ઘણું પામ્યા છે.' વગેરે પ્રમોદગર્ભિત ચિન્તન ચાલે એ અધ્યાત્મ છે... એમ હીનગુણ કે અનારાધકને જોઈ તિરસ્કારપ્રયુક્ત વિચારો ન આવે. પણ કરુણાગર્ભિત ચિન્તન ચાલે એ અધ્યાત્મ... અસાધ્યદોષગ્રસ્તને જોઈ ‘જેવી જેવી ભવિતવ્યતા હોય એમ થાય...’ વગેરે શાસ્ત્રનુસારી ઉપેક્ષાગર્ભિત ચિન્તન એ અધ્યાત્મ... સામાન્ય જીવ સૃષ્ટિને જોઇને હિતચિન્તા સ્ફુરે... આ મૈત્રીગર્ભિત ચિન્તન એ અધ્યાત્મ... ટૂંકમાં, સંપર્કમાં આવેલા કે નહીં આવેલા કોઇ પણ જીવ અંગે વિચારણા ચાલે તો આ ચારમાંથી જ કોઇ એક યોગ્યભાવનામાં સમાવિષ્ટ થાય. ‘જીવાદિતત્ત્વચિન્તન’ માં આદિ શબ્દથી અજીવાદિ પણ લેવાના છે. અજીવપુદ્ગલદ્રવ્યો અંગે ‘રૂપ-રસ-ગંધ... વગેરે પરિવર્તનશીલ છે, એમાં શું મોહ પામવો ?’ વગેરે રૂપ અનિત્યાદિભાવનાગર્ભિત ચિન્તન એ પણ અધ્યાત્મ છે.
તથા ભાવનામાં અધ્યાત્મનો અભ્યાસ ચિત્તવૃત્તિનિરોધયુક્ત હોય છે એવું જે જણાવ્યું છે તેનાથી એ જણાય છે કે અધ્યાત્મમાં જીવાદિ તત્ત્વચિંતન જેમ મૈત્ર્યાદિભાવગર્ભિત હોય છે તેમ ચિત્તવૃત્તિનિરોધના પ્રયત્નથી પણ ગર્ભિત હોવું જોઇએ.
(૨) ભાવનાયોગ - અધ્યાત્મયોગનો અભ્યાસ વધારતાં વધારતાં જીવ ભાવનાયોગ પામે છે. અધ્યાત્મયોગમાં તત્ત્વચિન્તનકાળે રાગ-દ્વેષ ખસતા હતા... તત્ત્વચિન્તન ખસે એટલે પાછા રાગ-દ્વેષ થાય... ક્ષળ સજ્જ ક્ષળ મુત્ત્ત: આ ભૂમિકા હતી... છતાં તત્ત્વચિન્તનકાળે ચિત્તવૃત્તિઓનો રાગ-દ્વેષગ્રસ્ત વૃત્તિઓનો થોડો થોડો પણ નિરોધ થતાં રહેતાં ભાવનાયોગમાં આ નિરોધ નોંધપાત્ર બને છે. વળી ભાવનાયોગમાં તત્ત્વચિન્તનનો પ્રવર્ધમાન અભ્યાસ છે. અર્થાત અધ્યાત્મયોગી એક દિવસમાં જેટલી વાર તત્ત્વચિન્તન કરે છે એના કરતાં ભાવનાયોગી અનેકગણી વધારેવાર તત્ત્વચિન્તન કરે છે. આશય એ છે કે કોઇ પણ જીવ અંગે વિચારણા ચાલે ત્યારે એ મૈત્રીપ્રમોદ વગેરે ચારમાંની જ કોઇ યોગ્ય ભાવનાથીગર્ભિત વિચારણા કરવાનો સાધકને અધિકાર છે. એમ પુદ્ગલ અંગે વિચારણા ચાલે તો અનિત્યાદિ ભાવનાથી ગર્ભિત વિચારણા કરવાનો સાધકને અધિકાર છે. આવી વિચારણાઓ તત્ત્વચિન્તન છે. છતાં, જ્યારે જ્યારે વિચારણા ચાલે ત્યારે ત્યારે એ મૈગ્યાદિગર્ભિત હોવાથી તત્ત્વચિન્તનરૂપ જ હોય, એવી અવસ્થા હજુ કેળવાયેલી નથી. ક્યારેક દ્વેષાદિગર્ભિત ચિન્તન પણ
70
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા..૩
www.jainelibrary.org