________________
ચાલે છે. આ અતત્ત્વચિન્તન છે. સંખ્યા અને કાળની અપેક્ષાએ ટકાવારી મૂકીએ તો અધ્યાત્મયોગ કરતાં ભાવનાયોગમાં તત્ત્વચિન્તનની ટકાવારી વધે છે ને અતત્ત્વચિન્તનની ટકાવારી ઘટે છે. વળી ભાવનાયોગમાં જ્યારે જ્યારે તત્ત્વચિન્તન કરે છે ત્યારે ભેગો ચિત્તવૃત્તિનિરોધ હોવાથી એમાં એકાગ્રતા વધુ ગાઢ હોય છે, જે ધ્યાનની ભૂમિકા સર્જે છે.
અહીં ચિત્તવૃત્તિનિરોધ જે કહ્યો છે એ મોહનીય કર્મના ઉદયથી (રાગદ્વેષથી) રંગાયેલી ચિત્તવૃત્તિઓનો નિરોધ જાણવો. સામાન્યથી જીવ અંગે પણ રાગ-દ્વેષ થાય છે અને પુદ્ગલ અંગે પણ.... છતાં, જીવના શુદ્ધ સ્વરૂપ અંગે તો રાગ-દ્વેષ થવાનો સંભવ ઓછો છે. જીવ અંગેના રાગ-દ્વેષપણ મુખ્યતયા એના પૌદ્ગલિક વ્યક્તિત્વને લઈને જ થતા હોય છે. એટલે, પુલને જ્યાં સુધી પ્રાધાન્ય આપવાનું થાય ત્યાં સુધી અનુકૂળ પુદ્ગલ પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પુદ્ગલ પ્રત્યે દ્વેષ.. આ વૃત્તિઓ થયાજ કરવાની... શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી થાય.. અંદર હિળોલાલેતા આનંદના સાગરને પ્રાપ્ત કરવાનું પ્રણિધાન બંધાય.. એટલે પુગલ ગૌણ બની જાય છે. પુગલ પ્રત્યેની પ્રાધાન્યદષ્ટિ ખસી અપ્રાધાન્યદષ્ટિ આવે છે. પુદ્ગલ અનુકૂળ આવે કે પ્રતિકૂળ, એને પ્રાધાન્ય આપવાનું બંધ થયું, એના પરિણામે રાગ-દ્વેષમય વૃત્તિઓ ખસવા માંડે છે, ને એના સ્થાને મોહનીયના ક્ષયોપશમથી રંગાયેલી ચિત્તવૃત્તિઓ વિકસવા માંડે છે, જે યોગ રૂપ છે.
અધ્યાત્મયોગમાં ચિત્તવૃત્તિનિરોધ એટલો ગણનાપાત્ર નહોતો. પણ એનો પ્રયત્ન હોવાના કારણે જે થોડે ઘણે અંશે હતો તે, તથા તત્ત્વચિંતન.... આ બન્ને પ્રવર્ધમાન જ હોય એવો પણ નિયમ નહોતો. ક્યારેક પ્રવર્ધમાન, ક્યારેક હાયમાન. ક્યારેક અવસ્થિત... જ્યારે ભાવનાયોગમાં ચિત્તવૃત્તિનિરોધ અને તત્ત્વચિંતન આ બન્ને પ્રવર્ધમાન હોય છે.
(૩) આધ્યાનયોગ - પુલ પરિવર્તનશીલ છે... એટલે એમાં ફેરફાર થયા જ કરે, વળી જીવ પુગલને જ અનાદિકાળથી પ્રધાનતા આપતો આવ્યો છે. એટલે પુદ્રગલમાં મનપસંદ ફેરફાર થયો હોય તો રાગ, નેનાપસંદ ફેરફાર થયો હોય તો દ્વેષ. આમ પદ્ગલિક ફેરફારને આધીન ચિત્તવૃત્તિઓ પણ રાગ-દ્વેષ વચ્ચે ઝોલા ખાયા કરે છે. સ્થિર થઈ શક્તી નથી. પણ મારે ને પુગલને શું લાગે વળગે?' આધ્યાનયોગ
(71)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org