SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે રૂપે પુદ્ગલ પ્રત્યેની અપ્રાધાન્યદષ્ટિને અધ્યાત્મ-ભાવનાયોગ દ્વારા વધુને વધુ ગાઢ બનાવ્યાકરાયતો એક એવી અવસ્થા આવે છે કે પુદ્ગલમાં આસમાની-સુલતાની થઈ જાય તો પણ જીવ એને ગણકારતો નથી, અને તેથી એ પૌલિક ફેરફારો ચિત્તને કશી અસર કરી શકતા નથી, રાગ કે દ્વેષ વચ્ચે ઝોલા ખવડાવી શકતા નથી. તેથી ચિત્તની પ્રદીપની સ્થિર જ્યોત જેવી સ્થિર અવસ્થા પેદા થાય છે. એટલે, એ વખતે ચિત્ત, કોઈ એક પદાર્થ અંગે પ્રશસ્ત કહી શકાય એવું ઉત્પાદાદિવિષયક સૂક્ષ્મ ઉપયોગવાળું બને છે, ને એ જ ઉપયોગમાં સ્થિર રહે છે. આ “આધ્યાન યોગ છે. આયોગકાળે વિકલ્પોજન ઊઠે એવી અવસ્થા નથી, પણ જેમ અબજોપતિ માણસ એક રૂપિયાના ફેરફારને પ્રાધાન્ય ન આપે એમ વિકલ્પોને પ્રાધાન્ય આપવાનું હોતું નથી. માટે એ વિકલ્પો સ્થિર ચિત્તને અસર (વિક્ષેપ) કરી શકતા નથી. પ્રસન્નચન્દ્રરાજર્ષિએ પુત્ર-રાજ્ય વગેરેને પ્રાધાન્ય આપ્યું એટલે ચિત્તમાં તોફાનો ચાલુ થઈ ગયાને શુભધ્યાનમાંથી દુર્ગાનમાં ચઢી ગયા... પણ પછી પાછી અપ્રાધાન્યદષ્ટિ આવી એટલે તોફાનો શમવા લાગ્યા. ચિત્ત સ્થિર થવા લાગ્યું. નેક્ષપદ્મણિ સુધી પહોંચી ગયા. અહીં પ્રતૈિાર્થવિષયમ્ આવું વિશેષણ છે. પ્રશસ્ત એવો એક (જિન પ્રતિમા વગેરે) પદાર્થ, તદ્વિષયક સૂક્ષ્મોપયોગયુક્ત સ્થિરચિત્ત આવો અર્થ તો સીધે સીધો મળી જાય છે. પણ જે પ્રશસ્ત નથી એવા તણખલા જેવા તુચ્છ પદાર્થ અંગે પણ એના ઉત્પાદાદિના સૂક્ષ્મ ઉપયોગવાળું સ્થિરચિત્ત કેળવાય તો એ પણ ચિત્તવૃત્તિનિરોધ કરનારું પ્રશસ્તધ્યાન બની શકે છે. એટલે એનો પણ જો સમાવેશ કરવો હોય તો, પાર્થ વિષયઃ ય તત્ પ્રાર્થવિષયમ્ (વિત્તમ) અને પછી પ્રાપ્ત ૨ તત્ પાર્થવિષયં ચ રૂતિ પ્રાર્તાવિષમ આવો સમાસવિગ્રહ કરવો. અર્થાત્ કોઈ પણ એક પદાર્થ અંગે ઉત્પાદાદિવિષયક ઉપયોગવાળું પ્રશસ્ત સ્થિરચિત્ત એ આધ્યાન આવો અર્થ મળે. તે તે પદાર્થના બાહ્ય રૂપ-રસ-ગંધ... વગેરેના ઉપયોગની અપેક્ષાએ એના ઉત્પાદાદિ અંગેનો ઉપયોગ સૂક્ષ્મ છે, માટે સૂક્ષ્મપયોગયુતમ્ એમ અહીં કહ્યું છે. યોગબિન્દુમાં આધ્યાનના સ્થાને ધ્યાન શબ્દ છે તે જાણવું. (૪) સમતાયોગ - અનાદિકાળથી જીવને વળગેલી મિથ્યાવાસના એ (72) યોગવિંશિકા...૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy