________________
અવિદ્યા છે. આ અવિદ્યા, ઉપસ્થિત થતા પદાર્થમાં – ‘આ મને ઇષ્ટ છે...' કે આ મને અનિષ્ટ છે આવી ઇષ્ટત્વ-અનિષ્ટત્વની કલ્પના કરાવે છે. શ્રી પ્રશમરતિગ્રન્થમાં જે કહ્યું છે કે તે જ પદાર્થોનો વેષ કરનાર, અને (કલ્પના બદલાવાથી) તે જ પદાર્થોમાં લીન બનનાર (રાગ-આસક્તિ કરનાર) આ જીવનું નિશ્ચયથી તો કશું અનિષ્ટ કે ઈષ્ટ નથી તેની વારંવાર ભાવના કરવી એ વિવેક છે. અવિદ્યા જન્ય ઇષ્ટત્વ-અનિષ્ટત્વ કલ્પનાઓનો આવી ભાવનારૂપ વિવેકથી પરિહાર કરી શુભ-અશુભ પદાર્થો અંગે તુલ્યતા ચિત્તની સમાનવૃત્તિ સમતા ભાવવી એ સમતા યોગ છે. આમાં સારું કે નરસું. નિન્દા કે પ્રશંસા, અનુકૂળતા કે પ્રતિકૂળતા બધું સરખું જ લાગે છે. એટલે માધ્યચ્યભાવ-ઉપેક્ષા કેળવાય છે. આમ તો અધ્યાત્મયોગથી જ સમતાનો પ્રારંભ થઈ ગયો હોય છે, કારણકે તત્ત્વ ચિન્તનાદિ કાળે રાગદ્વેષનો કંઇક પણ પરિહાર હોય છે. છતાં સાર્વદિક-સાર્વત્રિક નોંધપાત્ર સમતા અહીં જ કેળવાયેલી હોય છે.
આમાં અવિદ્યા કલ્પિત ઇષ્ટત્વ-અનિષ્ટત્વનો જ પરિહાર જાણવો. શાસ્ત્રવચનાનુસારે ઊભા થતાં ઇષ્ટ-અનિષ્ટત્વનો પરિહાર નથી સમજવાનો. એટલે, મધુર પેડો કે લૂખો રોટલો એ બન્નેમાં સ્વાદના કારણે ઇષ્ટત્વ-અનિષ્ટત્વરૂપે કોઈ ભેદ ન ભાસે. પણ ગોચરી સંબંધી દોષોની અપેક્ષાએ એક નિર્દોષ હોય, અન્ય દોષિત હોય તો ઇષ્ટત્વ-અનિષ્ટત્વ જરૂર ભાસે.
તથા, ગુમાસુમાના વિષયા તુન્યતામાવન.... આવું જે અહીં કહ્યું છે તે અંગે આ વિશેષતા જાણવી. ‘ભાવન’ એ તો ભાવના કહેવાય. સમતા તો ભાવિતતાને કહેવાય, એટલે ઈષ્ટત્વ-અનિષ્ટત્વ સંજ્ઞાનો પરિહાર કરી તુલ્યતાની ભાવના કરાતી હોય ત્યાં સુધી પ્રારંભિક સમતાયોગ જાણવો. પછીની ભૂમિકામાં તો તુલ્યતાનો જ અનુભવ હોય... (ઇeત્વ-અનિષ્ટત્વની સંજ્ઞા ઊઠતી જ નથી. સીધું તુલ્યતાનું જ દર્શન થાય છે, અર્થાત્ તુત્યતા અનુભવનમ્ છે.)
(૫) વૃત્તિસંક્ષય - વૃત્તિઓનો સમ્યફ = અપુનર્ભવેન ક્ષય એ વૃત્તિસંક્ષય. આ વૃત્તિઓ બે રીતે હોય છે. મન દ્વારા વિકલ્પરૂપ વૃત્તિઓ અને શરીર દ્વારા આત્મપ્રદેશોના પરિસ્પન્દરૂપ વૃત્તિઓ. મન અને શરીર બન્ને પૌલિક હોવાથી આત્મા માટે અન્ય છે, ને તેથી આ વૃત્તિઓ અન્યસંયોગાત્મક વૃત્તિઓ કહેવાય છે. આમાં પણ, મનની વૃત્તિઓ વળી બે પ્રકારે હોય છે (A) રાગ-દ્વેષજન્ય વિકલ્પોવૃિત્તિસંક્ષયયોગ
7િ3 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org