________________
આ પ્રમત્તગુણસ્થાનક સુધી હોય છે, અપ્રમત્તજીવોને હોતા નથી.* (B) શ્રુતજ્ઞાનજન્ય વિકલ્પો-શાસ્ત્રવચનાનુસારે કરાતું ચિંતન-મનન રાગદ્વેષ જન્ય હોતું નથી, પણ શ્રુતજ્ઞાનજન્ય હોય છે. એ બારમા ગુણઠાણા સુધી હોય છે. તેરમે ગુણઠાણે મનોયોગ હોય છે. પણ એ વિચારાત્મક (વિકલ્પાત્મક) હોતો નથી, માત્ર મનોવર્ગણાના દ્રવ્યોને તે તે રૂપે ગોઠવવા રૂપ હોય છે, માટે ત્યાં મનના વિકલ્પો હોતા નથી
સાતમે ગુણઠાણવૃત્તિસંક્ષય ઉપચારથી કહેવાય... કારણકે આભોગિક રાગદ્વેષજન્ય વિકલ્પો ન હોવા રૂપે વૃત્તિસંક્ષય છે, છતાં અતિશ્રુતજન્ય વિકલ્પો તો હોય જ છે, માટે વાસ્તવિક વૃત્તિસંક્ષય નથી. વળી આ વૃત્તિસંક્ષય ક્ષયોપશમભાવથી થયો હોય છે ને તેથી પુનર્ભવવાળો પણ હોય છે. પ્રમાદ આવે એટલે વૃત્તિનો પુનર્ભવ થાય. માટે પણ એ ઉપચારથી છે.
મનોજન્ય વિકલ્પાત્મક વૃત્તિઓનો અપુનર્ભવેન વાસ્તવિક વૃત્તિસંક્ષય તેરમે હોય છે. વળી તેરમે પણ યોગ હોવાથી આત્મપ્રદેશોનું પરિસ્પન્દન તો હોય જ છે. એટલે આત્મપ્રદેશોના પરિસ્પન્દનરૂપવૃત્તિઓનો સંક્ષય તેરમે પણ હોતો નથી. તેરમાને અંતે સંપૂર્ણ યોગ નિરોધ થવાથી ચૌદમે આત્મપ્રદેશોનું પરિસ્પન્દન પણ હોતું નથી. એટલે એ વૃત્તિઓનો પણ ત્યાં સંક્ષય થઈ જાય છે.
अथैतेषामध्यात्मादीनां स्थानादिषु कुत्र कस्यान्तर्भाव इति चेद् ? 'उच्यतेअध्यात्मस्य चित्रभेदस्य देवसेवा-जप-तत्त्वचिन्तनादिरूपस्य यथाक्रमं स्थाने ऊर्णेऽर्थे च। भावनाया अपि भाव्यसमानविषयत्वात्तत्रैव। ध्यानस्यालम्बने। 'समतावृत्तिसंक्षय
*ઈષ્ટ-અનિષ્ટ વિષયનો સંપર્ક થવા પર અપ્રમત્તને ગમા-અણગમા રૂપ રાગ-દ્વેષ થતા નથી. પ્રમત્તને એ રાગ-દ્વેષ થાય છે. પણ યથાક્ષયોપશમ એ શીધ્ર સાવધાન થાય છે કે મારે આ રાગ-દ્વેષ કરાય નહીં, ને તેથી, શક્ય હોય તો એ પ્રવૃત્તિથી અટકે છે. પ્રવૃત્તિ અશક્ય પરિહારવાળી હોય તો રાગ-દ્વેષથી અટકે છે. જો આ રીતે પ્રવૃત્તિથી કે રાગ-દ્વેષથી ન અટકે, ખ્યાલ આવવા છતાં ચાલુ રાખે તો સર્વવિરતિ ઊભી રહી શકતી નથી. દેશવિરતે જાયકે અવિરતે જાય. અને આ રાગ-દ્વેષ જો ખટકે પણ નહીં. ઉપરથી ગમે તો મિથ્યાત્વે પણ જાય. સંયતને છદ્મસ્થતાના કારણે સાવધાની લાંબી ટકતી ન હોવાથી ઉક્ત રાગ-દ્વેષ થાય છે ને તેથી એ છઠે જાય છે, ને પછી સાવધાની આવવાથી એ રાગ-દ્વેષાત્મક પ્રમાદથી અટકે એટલે પાછો સાતમે આવી જાય છે. છદ્મસ્થતા હોવાથી પાછી સાવધાની ગુમાવે છે, કંઇક રાગ-દ્વેષની પરિણતિ થાય છે ને પાછો છઠે આવે છે. અન્તર્મુહૂર્તમાં જ પાછો સાવધાન બની રાગ-દ્વેષને રુંધી સાતમે આવે છે. આમ છઠે-સાતમે પરાવૃત્તિ થયા કરે છે.
યોગવિંશિકા....૩ For Private & Personal Use Only
www.jainelibrary.org
14
Jain Education International