________________
વૃત્તિઅર્થઃ ઉચિત પ્રવૃત્તિવાળો વ્રતધારી સાધક શાસ્ત્રવચનોને અનુસરીને જીવાદિતત્ત્વોનું જે મૈત્રી વગેરે ભાવોથી ગર્ભિત ચિન્તન કરે એ અધ્યાત્મયોગ છે. અધ્યાત્મમાં જે ચિન્તન કહ્યું એનો જ ચિત્તવૃત્તિઓના નિરોધવાળો પ્રતિદિન વધતો જતો અભ્યાસ એ ભાવનાયોગ છે, કોઈ એક પદાર્થના વિષયવાળું, ઉત્પાદાદિ વિષયક સૂક્ષ્મ ઉપયોગયુક્ત સ્થિરપ્રદીપ જેવી સ્થિરતાવાળું પ્રશસ્ત ચિત્ત એ આધ્યાનયોગ છે. (અવિદ્યાના કારણે વિષયોમાં ‘આ ઇષ્ટ (=ગમતો) વિષય છે’ ‘આ અનિષ્ટ (=અણગમતો) વિષય છે. આવા લેબલ લાગે છે.) અવિદ્યા કલ્પિત આવી ઈછત્વ
માન્યું. અર્થાતુક્ષયોપશમ ઊભો હોવા છતાં સ્થાનાદિયોગ ક્યારેક ન પણ હોય - આવા અનિયમનો વ્યવચ્છેદ માન્યો. એટલે કેવું પૂર્વાપરવિરુદ્ધ લખવું પડે છે એ પણ જોઇએ-દેશવિરતને સંસારની પ્રવૃત્તિ દરમ્યાન એની વિચારણા સાક્ષાત્ સંસારની જ હોય તો પણ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ તો ઊભો જ હોવાથી સ્થાનાદિ માનવા જ પડે. વળી, અધ્યાત્મયોગની વિદ્યમાનતા સાબિત થાય તો સ્થાનાદિની વિદ્યમાનતા પણ સાબિત થઈ જાય. એટલે મારી - ઠોકીને ત્યારે પણ શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતનનો પરિણામ વર્તે છે. એટલે ત્યાં અધ્યાત્મ હોઈ શકે છે એમ અધ્યાત્મયોગની સિદ્ધિ કરી. ને પછી આગળ ભાવનાયોગના વિવેચનમાં – યદ્યપિ અધ્યાત્મમાં પણ ચિત્ત વિષયોથી નિવૃત્ત હોય છેપરંતુ તે વિષયોના સંપર્કથી દૂર રહીને અને સલ્કિયાના આલંબનોમાં વ્યાપ્ત રહેવાથી વિષયોથી પરાગમુખ રહે છે. – એમ જણાવ્યું. જે પરસ્પર વિરુદ્ધ હોવું સ્પષ્ટ છે. કારણકે પહેલાંસંસારક્રિયા દરમ્યાન પણ અધ્યાત્મયોગની વિદ્યમાનતા બતાવી, એટલે વિષયોની પરાગમુખતા સ્વીકારી જ. અને પછી વિષયસંપર્કથી દૂર – સંસારયાથી દૂર – સક્યિામાં વ્યાપ્ત હોય ત્યારે જ વિષયોની પરાગમુખતા સ્વીકારી. આ બધી અસંગતિઓ ન થાય એ માટે, ચારિત્રમોહનીયન ક્ષયોપશમ હોય તો સ્થાનાદિ યોગ હોય જ આવું અવધારણ ગલત છે એ સ્વીકારવું જોઇએ.
અલબત્ યોગતિમાં એક જ આત્મામાં સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રનો સંબંધ એ યોગ છે એ પ્રમાણે જે કહ્યું તેને અનુસરીને તો જ્યાં સુધી દેશવિરતિ – સર્વવિરતિ વિદ્યમાન છે ત્યાં સુધી નિયમા યોગ માનવો જ પડે. પણ એ, પૂર્વે, ‘નિશ્ચયથી બધો ધર્મવ્યાપાર એ યોગ છે, અને વિશેષ પ્રકારના સંકેતને અનુસાર સ્થાનાદિ જ યોગ છે એવો વિભાગ જે દર્શાવેલો તેને અનુસરીને યથાસંભવ સંગત કરવો. અર્થાત, દેશ-સર્વવિરતનો બધો ધર્મવ્યાપાર નિશ્ચયથી યોગરૂપ છે જ, ને તેથી નિયમા યોગ હોય જ એવા અવધારણને પણ કશો વાંધો નથી, પણ, ‘વિરતિધરને નિયમો યોગ હોય જ એવા અવધારણનો પ્રસ્તુતમાં જે નિષેધ કરાઈ રહ્યો છે, તે તાન્ત્રિકોના વિશેષ પ્રકારના સકતાનુસાર સ્થાનાદિયોગની અપેક્ષા છે. એટલે કે ‘વિરતિધરને કાયમ આ સ્થાનાદિ યોગ હોય જ એવા અવધારણનો જ આ નિષેધ છે.
શંકા- દેશવિરતિ છે ત્યાં સુધી યોગ હોયજ (ભલે સ્થાનાદિયોગનહીં, પણ યોગસામાન્ય અિધ્યાત્મયોગ)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org