________________
तत्राध्यात्मं उचितप्रवृत्तेतभृतो मैत्र्यादिभावगर्भ शास्त्राज्जीवादितत्त्वचिंतनम्। भावना अध्यात्मस्यैव प्रतिदिनं प्रवर्धमानश्चित्तवृत्तिनिरोधयुक्तोऽभ्यासः। आध्यानं प्रशस्तैकार्थविषयं स्थिरप्रदीपसदृशमुत्पाता(?दा)दिविषयसूक्ष्मोपयोगयुतं चित्तम् । समता अविद्याकल्पिते(ष्टत्वानि)ष्टत्वसंज्ञापरिहारेण शुभाशुभानां विषयाणां तुल्यताभावनम्। वृत्तिसंक्षयश्च मनोद्वारा विकल्परूपाणां शरीरद्वारा परिस्पन्दरूपाणामन्यसंयोगात्मकवृत्तीनामपुनर्भावेन निरोधः। આવું જે અવધારણ તેઓ કરે છે તે અયોગ્ય છે.
નહીંતર તો, પ્રમાદવમુદ્રાદિનહીં જાળવનાર સંયતને કે સંસારઠ્યિામાં વ્યસ્ત દેશવિરતને પણ સ્થાનાદિયોગ માનવા પડશે. કારણકે એ વખતે પણ તેઓને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ તો છે જ. વસ્તુતઃ, જેમ ધૂમમાં જ વહ્નિનો અવિનાભાવ છે, પણ વહ્નિમાં કાંઈ ધૂમનો અવિનાભાવ નથી, એમ પ્રસ્તુતમાં, સ્થાનાદિયોગમાં જ ચારિત્રમોહનીયના ક્ષયોપશમનો અવિનાભાવ છે (અર્થાત્ સ્થાનાદિયોગ હોય તો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હોય જ – એવો નિયમ છે. એનો અર્થ જ ચારિત્ર મોહનીયના ક્ષયોપશમવાળાને જ સ્થાનાદિ યોગ હોય) પણ, ચારિત્રમોહનીયના ક્ષયોપશમમાં કાંઈ સ્થાનાદિયોગનો અવિનાભાવ નથી (અર્થાતું ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હોય તો સ્થાનાદિયોગ હોય જ એવો નિયમ નથી.)
હકીકત એ છે કે, ગાથામાં એવકાર છે નહીં, પણ નિયમણ’ શબ્દ રહેલો છે. અને એનો અન્વય “આ (યોગ), ચારિત્રીને નિયમો હોય છે. આ રીતે નથી, પણ “આ (યોગ) નિયમા ચારિત્રીને હોય છે. આ પ્રમાણે છે. આ અર્થ કાઢવા જ વૃત્તિકારે વારિત્રિ પર્વ” એમ એવકાર (નિયમેણ શબ્દના અર્થ તરીકે) જણાવ્યો છે. પછી ‘નિયમેન રૂતર...' ઇત્યાદિ જે કહ્યું છે તે માત્ર નિયમેન’ શબ્દનું વિવેચન છે. એને પુનઃ અન્વયમાં લેવાય નહીં, કારણકે સંતુતિઃ ન્દ્રિઃ સંવેવાઈ ત્તિ ન્યાયે એક શબ્દનો અર્થ એકવાર જ કરી શકાય. અને છતાં નિયમો ચારિત્રીને હોય છે ને ચારિત્રીને નિયમો હોય છે. આમ બન્ને અર્થ અભિપ્રેત હોત તો વૃત્તિકાર - નિયમ પદનો અન્વય વત્તિનો પદની આગળ – પાછળ એમ બે વાર કરવો-વગેરે કશોક ઉલ્લેખ કરત. વળી ગાથાના ઉત્તરાર્ધમાં પણ ‘ઇતર તરીકે અપુનર્બન્ધક વગેરે લીધા છે, પણ ‘ન થવા રૂપ ઇતર વિકલ્પ નથી લીધો. અર્થાત્ નિયમા ચારિત્રીને હોય એવા અવધારણના ફળનો નિર્દેશ
ર્યો છે, પણ ચારિત્રીને નિયમો હોય એવા અવધારણના ફળનો નહીં. વૃત્તિકારે પણ “ચારિત્રીને જ હોય એવા જ કાર વાળા અર્થનું જ ‘કત વાધ્યાત્મઃ '... વગેરે દ્વારા સમર્થન અને છેલ્લે ‘તતો શતઃ સર્વતશ વારિત્રિા પ્રવસ્થાનારિયો પ્રવૃત્તિ સમવતીતિ સિદ્ધમ્' એ રીતે ઉપસંહાર કર્યો છે, પણ ચારિત્રીને હોય જ એવા જ કારથી પ્રાપ્ત અર્થનું સમર્થન કે ઉપસંહાર કશું આખી વૃત્તિમાં ક્યાંય ક્યું નથી. માટે ઉભયાધારણ નથી એ વાત નિઃશંક છે.
વળી, “ચારિત્રમોહનીયનો યોપશમ હોય તો સ્થાનાદિયોગ નિયમા હોય જ આવું (66)
યોગવિંશિકા....૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org