________________
પછી ક્રમશઃ નિર્વેદ-સંવેગ-શમ... આસ્તિક્ય તો સમ્યકત્વની સાથે જ પ્રગટ થઈ
ગયું હોય છે. માટે શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય આ પાંચની પ્રાપ્તિ પશ્ચાનુપૂર્વીથી જ = ઉધા ક્રમે જ થાય છે.
પ્રશ્ન - તો પછી ઉધાક્રમે જ એનો ઉલ્લેખ પણ કરવો હતો ને...
(૨) ઉત્તર - આ પાંચમાં સૌથી વધારે પ્રધાન – મહત્ત્વનો ગુણ શમ છે,ને ઉત્તરોત્તર એની અપેક્ષાએ અલ્પ-અલ્પતર મહત્ત્વના છે.
જ્ઞાનધ્યાનતપઃશીલસમ્યકત્વસહિતોઽપ્યહો ।
તં નાપ્નોતિ ગુણ સાધુર્યમાપ્નોતિ શમાન્વિતઃ। જ્ઞાનસારના આ શ્લોકમાં શમનું મહત્ત્વ દર્શાવ્યું છે. એટલે શમ સૌથી વધારે પ્રધાન છે. ને તેથી પ્રાધાન્યના ક્રમે આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે.
સદ્ધર્મવિંશિકામાં આ વાત નીચે મુજબ કરી છે –
પચ્છાણુપુત્વિઓ પુણ ગુણાણમેએસિ હોઇ લાભકમો પાહસઓ ઉ એવં વિશેઓ સિં ઉવન્નાસો ।। ૬-૧૮૫ ૮૫
तदेवं हेतुभेदेनानुभावभेदेन चेच्छादिभेदविवेचनं कृतम् । तथा च स्थानादावेकैकस्मिन्निच्छादिभेदचतुष्टयसमावेशादेतद्विषया अशीतिर्भेदा: संपन्ना, एतन्निवेदनपूर्वमिच्छादिभेदभिन्नानां स्थानादीनां सामान्येन योजनां शिक्षयन्नाह
અવતરણિકાર્થ : આ પ્રમાણે હેતુભેદે અને કાર્યભેદે ઇચ્છાદિના ભેદનું વિવેચન કર્યું અને તેથી સ્થાનાઠિ એક એક યોગમાં ઇચ્છાદિ ચાર ભેદોનો સમાવેશ થવાથી આ યોગવિષયના ૮૦ ભેદો થયા આનું નિવેદન કરવા પૂર્વક ઇચ્છાવગેરે ભેદવાળા સ્થાનાદિ યોગોની સામાન્યથી યોજના દર્શાવતા ગ્રન્થકાર કહે છે -
વિવેચન : • શ્રદ્ધા – પ્રીતિ વગેરેની તરતમતાથી અસંખ્યપ્રકારનો ક્ષયોપામ થાય છે. આ ક્ષયો પશમભેઠે ઇચ્છાયોગ – પ્રવૃત્તિયોગ વગેરે ચાર મુખ્ય ભેદ પડે છે ને દરેકના અસંખ્ય પેટાભેદ થાય છે. આ હેતુભેકે ઇચ્છાભેદ કહ્યા. વળી ઇચ્છાદિ ભેદના અનુકંપા વગેરે ચાર કાર્યો છે. એટલે કાર્યભેદે પણ ઇચ્છાદિના ભેદ થાય છે એ જાણવું. તેથી સ્થાનયોગ, ઊર્ણયોગ વગેરે દરેકમાં ઇચ્છા વગેરે ચાર ચાર ભેદનો સમાવેશ થવાથી યોગના કુલ ૮૦ ભેદ થાય છે. (અલબત્ સ્થાન વગેરે પાંચેયના ઇચ્છા - પશ્ચાનુપૂર્વીથી લાભ
111
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org