SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિ અદ્વેષ એના અનુષ્ઠાનને તકેતુઅનુષ્ઠાનરૂપ બનાવે છે. વળી તછેઅનુષ્ઠાન તો ભાવઅનુષ્ઠાનનો હેતુ છે જ. એટલે, ત,અનુષ્ઠાનરૂપબનેલું એનું આ દ્રવ્યત્યવન્દન ભાવ ચૈત્યવન્દનને ખેંચી લાવે છે જે ભાવચેત્યવન્દન અમૃતાનુષ્ઠાનરૂપ હોવાથી પરમફળનું સંપાદક બને છે. આમ, દ્રવ્યચૈત્યવન્દનરૂપ હોવા છતાં પરંપરાએ એ અભીષ્ટફળદાયક બનતું હોવાથી શ્રેયસ્કર છે જ એ નિર્વિવાદ છે. આગળ આવી ગયું એ મુજબચવન્દનાદિના અધિકારીની વિચારણા ચાલી રહી છે. એમાં સ્થાનાદિમાં યત્નવાળા ને અર્પાદિની સ્પૃહાવાળા જીવને પણ પદપરિજ્ઞાન શ્રેયસ્કર છે એમ જણાવવા દ્વારા એને પણ અધિકારી તરીકે જણાવ્યો. અર્થાત્ આવા જીવને પણ ચૈત્યવન્દનસૂત્રો આપવાના હોય છે. ગુરુ પાસે સહુ પ્રથમ વાર સૂત્ર લેવામાં આવે . દાચના કહેવાય છે. કેટલાક શિષ્યોનો ક્ષયોપશમ એવો હોય છે કે આ પ્રથમવારમાં જ એને યથાર્થ પદજ્ઞાન થઈ જાય છે. એટલો વિશિષ્ટ ક્ષયોપશમ ન હોય તો એટલું સ્પષ્ટ યથાર્થપદજ્ઞાન થતું નથી. એટલે એ અંગે ગુરુને ફરીથી પૂછવામાં આવે તે પૃચ્છના... વળી એ પદજ્ઞાનને રૂઢ કરવા માટે એનું પુનરાવર્તન કરવામાં આવે તે પરાવર્તન. [આજ રીતે સ્થાન મુદ્રા માટે પણ જાણવું. પ્રથમવારમાં શીખી ન જાય એ બીજી-ત્રીજીવાર પણ ગુરુને પૂછે... વળી એ મુદ્રાઓને રૂઢ કરવા માટે સ્વયં એનો અભ્યાસ (પ્રેક્ટીશ) પણ કરે.]. શંકા - હજુ તો સામાજીવને ચૈત્યવન્દનના સૂત્રો અપાઈ રહ્યા છે. તો એ જીવ સ્થાનાદિમાં યત્નવાળો ને અર્થાદિની સ્પૃહાવાળો બનશે જ એવું છદ્મસ્થ ગુરુ પહેલેથી શી રીતે જાણી શકે? કે જેથી એ જાણકારી પર એને અધિકારી માનીસૂત્રપ્રધાન કરે? સમાધાન – પૂર્વે નવકારમંત્ર વગેરે જે આપેલા હોય એ પ્રત્યેના એના અભિગમ પરથી આનું અનુમાન કરીને ગુરુ આપી શકે છે. વસ્તુતઃ જેમ શાબ્દબોધમાં યોગ્યતાજ્ઞાનને જે કારણ કહ્યું છે એનો વાસ્તવિક અર્થઅયોગ્યતાજ્ઞાનનો અભાવ એ કારણ છે એમ કરવામાં આવે છે. એમ સામાન્યથી જ્યાં જ્યાં યોગ્યતા જોવાની વાત હોય ત્યાં ત્યાં કોઈ અયોગ્યતા દેખાઈ જાય તો તે સૂત્રદાનાદિ ન કરવા આવો અર્થ લગભગ સમજવાનો હોય છે. જેમકે ઉપદેશદાન માટે અપુનર્બન્ધક વગેરે જીવોને યોગ્ય કહ્યા છે. પણ ઉપદેશદાતા ગીતાર્થ ગુરુ પ્રથમ | અયોગ્યતાજ્ઞાનનો અભાવ છે 135) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy