________________
રૂપ બને નહીં.)
प्रवृत्तिस्तु सर्वत्र = सर्वावस्थायां 'उपशमसारं = उपशमप्रधानं यथास्यात्तथा, तत्पालनं = यथाविहितस्थानादियोगपालनं ओत्ति प्राकृतत्वात् । वीर्यातिशयाद् यथाशास्त्रमङ्गसाकल्येन विधीयमानं स्थानादि प्रवृत्तिरूपमित्यर्थः ॥ ५ ॥
વૃત્તિઅર્થ : બધી અવસ્થાઓમાં, `ઉપરામની પ્રધાનતા જે રીતે જળવાઈ રહે એ રીતે, યથાવિહિત = શાસ્ત્રવિધાનનું ઉલ્લંઘન ન થાય એવું જે સ્થાનાઠિયોગનું પાલન એ પ્રવૃત્તિયોગ છે. ગાથામાં ‘મો’ જે છે તેનો શો અર્થનથી, માત્ર વાક્યાલંકાર માટે વપરાયો છે. પ્રાકૃતભાષા હોવાથી એવો પ્રયોગ થઈ શકે છે. ટૂંકમાં, વીર્યાતિશય હોવાથી ને અંગસાકલ્પ (કારણોની પરિપૂર્ણતા) હોવાથી શાસ્ત્રાનુસારીપણે સેવાતા સ્થાનાદિ એ પ્રવૃત્તિયોગ છે. આ પ્રમાણે અર્થ છે.
વિવેચન : (૧) ઉપશમસાર... રાગ-દ્વેષની તીવ્રતા આચરણમાં પોતાની અસર બતાવ્યા વિના રહી શકે નહીં, ને તેથી યથાવિહિત પાલન ન થઈ શકે. તેથી, રાગ-દ્વેષની મંદતા કરવારૂપ ઉપશમની પ્રધાનતા આવે તો જ સ્થાનાદિ યોગનું યથાવિહિત સેવન થઇ શકે. એટલે ‘ઉપશમસારં’ એવું યોગપાલનનું વિશેષણ મૂક્યું છે. વળી, વીર્યનો અતિશય છે, એટલે પ્રમાદ પણ નથી. આમ રાગ-દ્વેષ કે પ્રમાદ... મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં વૈતથ્ય-અનૌચિત્ય લાવનારા આ ત્રણ પરિબળો હવે રહ્યા નથી. તથા પ્રથમ સંઘયણ વગેરે અંગસાકલ્ય હાજર છે. તેથી યથાવિહિત પાલન થાય છે.
પહેલાં સ્થાનાદિ યોગની ઇચ્છા જાગે છે. એનાથી કંઇક પણ ક્ષયોપશમ થાય છે જે યથાઉલ્લાસ પ્રવૃત્તિ કરાવે છે. એટલે ઇચ્છાયોગમાં પણ, પ્રતિબન્ધક કર્મોનો ઉપરામ ( ક્ષયોપશમ) હોય તો છે જ. પણ એ એટલો પ્રબળ નથી હોતો કે જે યથાવિહિત પાલન કરાવે. માટે ત્યાં ઉપશમપ્રધાનતા નથી હોતી. છતાં આ ઇચ્છાયોગમાં પ્રણિધાન વગેરે આશયો યથાયોગ્ય માત્રામાં ભળેલા હોવાથી પુષ્ટિ
અને શુદ્ધિ થાય છે. પુષ્ટિ = પુણ્યોપચય... એકાલાન્તરે વધુને વધુ સારી કારણસામગ્રી લાવી આપે છે. અનુષ્ઠાનમાં અતિચાર-મલિનતા લાવનાર છે રાગ-દ્વેષ અને વીર્યમંદતા... શુદ્ધિ દ્વારા ઉત્તરોત્તર આ રાગાદિ ઘસાતા જાય છે, ઉપશમ વધતો જાય છે. આમ પુષ્ટિ-શુદ્ધિના પ્રભાવે યથાવિહિત પાલનની ભૂમિકા ઊભી થાય છે.
પ્રવૃત્તિયોગ
89
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org