________________
શકાત. પણ સમુદાયને જ કારણ તરીકે કહ્યો છે એ જણાવે છે કે ત્રણે પૂર્વોત્તર ક્રમે જ પ્રગટ થાય એવો નિયમ નથી. અને એટલે જ ‘ચરમવૈકલ્યેઽપિ’ ન જણાવતાં ‘અન્યતરવૈકલ્પેઽપિ’ જણાવ્યું છે.
પ્રવૃત્તિને સ્ખલના પામવા માટે ત્રણે પ્રકારના વિઘ્નો ઉપસ્થિત થવા જોઇએ એ આવશ્યક નથી. જે વિઘ્નજય આરાય કેળવાયો ન હોય તેનું વિઘ્ન ઉપસ્થિત થાય એટલે પ્રવૃત્તિ અટકી જ જવાની.
વિઘ્નપ્નયાઃ... પ્રવૃત્તિòતવ: આવો જે અન્વય છે એનો અર્થ તત્પુરુષ સમાસ કરી વિઘ્નજયો પ્રવૃત્તિના કારણ છે એ પ્રમાણે કરવો. પણ, બહુવ્રીહિ સમાસ કરીને પ્રવૃત્તિ છે કારણ જેનું એવા વિઘ્નજયો આવો અર્થ ન કરવો. કારણ કે તો પછી ‘અન્યતરવૈકલ્પેઽપિ તદસિદ્ધે ’ આવું જે જણાવ્યું છે તે અસંગત ઠરે. તે પણ એટલા માટે કે ‘અન્યતરકારણના અભાવમાં કાર્ય અસિદ્ધ રહેતું હોવાથી’ આવો એનો અર્થ છે. અર્થાત્ જે કારણભૂત છે તે અનેક છે એવું એ સૂચિત કરે છે. પ્રસ્તુતમાં પ્રવૃત્તિના અનેક પ્રકાર બતાવ્યા નથી કે જેથી એને ‘કારણ’ તરીકે લઈ શકાય. વિઘ્નજયના જ અનેક પ્રકાર બતાવ્યા છે, માટે એને જ કારણ તરીકે લઈ શકાય છે, પ્રવૃત્તિને કાર્ય તરીકે.
એ જ રીતે બહુવ્રીહિ સમાસ કરવામાં, ‘પ્રવૃત્તિ ત્રણે વિઘ્નજયના સમુદાયનું કારણ છે’ એવો અયોગ્ય અર્થ આપનાર ‘સમુવિતા:’ શબ્દ, ‘તસિદ્ધે’ શબ્દ અને પુલિંગ હોવાથી બહુવ્રીહિ સમાસાન્ત તરીકે સૂચિત થતો ષોડશજીનો પ્રવૃત્તિત: શબ્દ... આ ત્રણ પણ અસંગત રહે છે.
પ્રશ્ન : પણ જો આ રીતે વિઘ્નજય એ હેતુ છે ને પ્રવૃત્તિ એનું કાર્ય છે, તો પ્રણિધાન, વિઘ્નજય, પ્રવૃત્તિ... એ ક્રમ કેમ ન કહ્યો ?
ઉત્તર : વિઘ્નજયને જે પ્રવૃત્તિનું કારણ કહેવો છે એ પ્રવૃત્તિ, વિઘ્નજય થયા પછીની વિશિષ્ટ પ્રવૃત્તિ છે. પણ, વિઘ્નજય કેળવવા માટે પૂર્વે સામાન્યપ્રવૃત્તિ પણ આવશ્યક તો હોય જ છે. જેમ ઈહાથી અપાય ઉત્પન્ન થાય છે. પછી એ અપાય (વ્યાવહારિક અર્થાવગ્રહનું કામ કરીને) ઈહાને ઉત્પન્ન કરે છે. વળી એ ઈહા વધારે વિશેષબોધક અપાયને ઉત્પન્ન કરે છે. અર્થાત્ ઈહા-અપાય-ઈહા-અપાય... આ
40
Jain Education International
For Private & Personal Use Only
(યોગવિંશિકા...૧
www.jainelibrary.org