SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વિરતિધર જ આગમાનુસારે આગમોક્ત વિધાનનો પ્રયત્ન કરી શકે છે, એ પૂર્વના જીવો નહીં. ને જો આગમોક્ત વિધિપાલનનો પ્રયત્ન ન હોય તો તો અમૃતઅનુષ્ઠાન સંભવતું નથી. માટે દેશવિરતિધરને જ અમૃતાનુષ્ઠાન સંપન્ન થઈ શકે છે, અને તેથી તેઓ જ ચૈત્યવન્દનના અધિકારી છે. एतच्च मध्यमाधिकारिग्रहणं तुलादण्डन्यायेनाद्यन्तग्रहणार्थं, तेन परमामृतानुष्ठानपरा: 'सर्वविरतास्तत्त्वत एव। 'तद्धत्वनुष्ठानपरा: (सम्यग्दृष्टयः) अपुनर्बन्धका अपि च व्यवहारदिहाधिकारिणो गृह्यन्ते, कुग्रहविरहसम्पादनेनापुनर्बन्धकानामपि चैत्यवन्दनानुष्ठानस्य फलसम्पादकतायाः पञ्चाशकादिप्रसिद्धत्वादित्यवधेयम्।। વૃત્તિઅર્થ? આ મધ્યમઅધિકારીનું જે ગ્રહણ કર્યું છે તે તુલાદંડન્યાયે આદ્યન્તના ગ્રહણ માટે કર્યું છે. તેથી પરમ અમૃતાનુકાનમાં તત્પર સર્વવિરત જીવો તત્ત્વથી (વાસ્તવિક) જ (અધિકારી છે.) તદ્ધતુઅનુષ્ઠાનમાં તત્પર એવા (સમ્યગુદષ્ટિજીવો) અને અપુનર્બન્ધક જીવો પણ વ્યવહારથી અહીં અધિકારી તરીકે ગૃહીત થાય છે. કારણકે ચૈત્યવન્દન અનુષ્ઠાન કુગ્રહવિરહનું સંપાદન કરી આપવા દ્વારા અપુનર્બન્ધજીવોને પણ ફળસંપાદક બને છે એ વાત પંચાશકાદિમાં પ્રસિદ્ધ છે. આ વાત નોંધનીય છે. વિવેચનઃ (૧) તત્ત્વથી (નિશ્ચયથી) કે વ્યવહારથી... આવો ભેદનપાડીએ તો સર્વવિરત, દેશવિરત, અવિરતસમ્યગ્દષ્ટિ અને અપુનર્બન્ધક.. આટલા જીવો ચૈત્યવન્દન સૂત્રપ્રધાનના અધિકારી છે. આમાંથી છેલ્લા બે વ્યવહારથી અધિકારી છે અને તદ્ધત્વનુષ્ઠાન તત્પર છે. સર્વવિરત તત્ત્વથી (વાસ્તવિક) અધિકારી છે અને પરમામૃતાનુણાનતત્પર છે. દેશવિરત તત્ત્વથી (વાસ્તવિક) અધિકારી છે અને અમૃતાનુષ્ઠાનતત્પર છે. એટલે દેશવિરત જીવો, અધિકારી જીવોમાં મધ્યમ છે. જેમ તુલાને-ત્રાજવાને મધ્યમાંથી પકડવામાં આવે તો એના બન્ને પલ્લાં પણ પકડાઈ જ જાય છે એમ મૂળાકારે અહીં મધ્યમ અધિકારી એવા દેશવિરતનું અધિકારી તરીકે જે ગ્રહણ કર્યું છે તેના દ્વારા આદિમાં રહેલા સર્વવિરતજીવનું તથા અન્ત રહેલા અવિરતસમ્યગ્દષ્ટિ અને અપુનર્બન્ધકનું પણ અધિકારી તરીકે ગ્રહણ થઈ જાય છે એ જાણવું (અલબત્ વૃત્તિમાં સચય: શબ્દ છપાયો નથી. પણ મપુનર્વત્થા પિ ર... એવા પાઠમાં પિત્ત શબ્દો જે છે તે સચય: શબ્દ ત્યાં હોવો જોઇએ, એવું અપુનર્બન્ધકાદિ વ્યવહારથી અધિકારી (167) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy