SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ‘“અનાભોગાદિના કારણે થતી અવિધિ વગેરેના ભયથી અનુષ્ઠાન ન છોડવું. એમ તમે કહ્યું. છતાં, એ અવિવિધ થવાના કારણે પૂર્વે જણાવ્યા મુજબ મહામૃષાવાદ વગેરે દોષ તો લાગશે જ ને... ને તો પછી તો એના કરતાં અનુષ્ઠાન જ ન કરવું એ જ શું સારું નહીં ?’’ આવી શંકાના સમાધાન માટે પ્રથમાભ્યાસે વગેરે અધિકાર છે. આરાય એ છે કે પ્રથમાભ્યાસ વગેરે કારણે લાગતો અવિધિ દોષ, પૂર્વે જે મહામૃષાવાદ વગેરે કહ્યા છે. એવો નથી, તથા આ રીતે અવિધિ ભળે તો પણ અવિધિનો અનુબંધ ચાલતો નથી... ને ઉપરથી વિધિના પ્રયત્નપૂર્વક જેમ જેમ અનુષ્ઠાન થતું જાય છે તેમ તેમ દોષ ક્ષીણ થતા જાય છે જે છેવટે લાભમાં જ પરિણમે છે. માટે અનુષ્ઠાન આદર્યા જ કરવું જોઇએ. પણ જેઓ વિધિરસિક નથી, ઉપરથી વિધિની ધરાર ઉપેક્ષાવાળા છે કે ક્યારેક વિધિની ભારે સૂગ ધરાવનારા હોય એવા બધા જીવો માટે અવિધિદોષ મહામૃષાવાદ વગેરે રૂપ છે. તથા સાનુબંધ છે. માટે પૂર્વપરવિરોધ વગેરે કોઇ દોષ રહેતો નથી. હવે પ્રથમાભ્યાસે વગેરે પંક્તિને અનુસરીને વિવેચન : પ્રથમ અભ્યાસકાળે એટલે હજુ ચૈત્યવન્દનાદિ તે તે અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે એવા કાળમાં વિધિનું તથાવિધ જ્ઞાન ન હોવાથી અવિધિ થઈ જાય તો એ ક્ષન્તવ્ય હોય છે. એમ અન્યઠા = અભ્યસ્તદશામાં-વિધિની જાણકારી વગેરે છે ત્યારે પણ અનાભોગાદિના કારણે અવિધિ થઈ જાય તો પણ એ અવિધિકરનાર જો પ્રજ્ઞાપનીય છે (અર્થાત્ એનો અવિધિ દોષ દર્શાવવામાં આવે તો એનો પશ્ચાત્તાપપૂર્વક સ્વીકાર કરનારો છે. ને તેથી પુનઃ અવિધિ ન થાય એવા મનોરથવાળો બને છે... પણ પોતાના અવિધિદોષનો આગ્રહપૂર્વક બચાવ કરનારો નથી. પોતે જે કર્યું છે તે બરાબર જ છે એનું ગમે તે સાચી-ખોટી દલીલબાજી દ્વારા પણ સમર્થન કરનારો નથી... એ પ્રજ્ઞાપનીય હેવાય) તો એનો અવિધિડોષ નિરનુબન્ધ છે. (અર્થાત્ અવિધિની પરંપરા ચલાવનારો નથી...) તેથી તેનું તેવું અવિધિયુક્ત અનુષ્ઠાન પણ (મહામૃષાવાદ વગેરે રૂપ) દોષકારક બનતું નથી, કારણકે વિધિ રસિક એવા તેને વિધિ પ્રત્યે બહુમાન હોવાથી અને ગુર્વાજ્ઞાનો યોગ હોવાથી એનું અનુષ્ઠાન ફળતઃ વિધિયુક્ત અનુષ્ઠાન તુલ્ય જ હોય છે. પચ્ચકખાણ અષ્ટના છેલ્લા શ્લોકમાં જણાવ્યું છે કે ‘આ અનુષ્ઠાન જિનોક્ત 201 ફળતઃ વિધિરૂપતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy