________________
છે’ એવી ભક્તિ અનુષ્ઠાનના દ્રવ્યપણાંને દૂર કરતી રહે છે. અનુષ્ઠાનમાં રહેલી ભૌતિક અપેક્ષા જેમ દ્રવ્યપણું છે એમ અવિધિ પણ દ્રવ્યપણું છે. એટલે અવિધિયુક્તઅનુષ્ઠાનમાં પણ ભળેલી સદ્ભક્તિ એની અવિધિને ક્રમશઃ દૂર કરતી રહે છે એ જણાય છે. વિધિ પ્રત્યેનું બહુમાન, ‘મારા ભગવાને આ વિધિ કહેલી છે’ એવી સદ્ભક્તિનું જ એક રૂપાંતર છે. તેથી વિધિરસિજીવના અનુષ્ઠાનમાં ભળેલી આ સદ્ભક્તિ એની અવિધિને ક્ષીણ કરતી રહે છે અને પરિણામે વિધિયુક્ત અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. માટે એ ફળતઃ વિધિરૂપ છે.
તથા ગુર્વાજ્ઞાયોગ હોવાથી પણ અવિધિ હીયમાન હોય છે. પ્રજ્ઞાપનીયને ગુરુ એનો અવિધિદોષ દર્શાવે એટલે એ એનો સ્વીકાર કરી કંઇક ને કંઇક પણ એ દૂર કરવા પ્રયત્ન કરે જ. આમ અવિધિદોષ ઘસાતા ઘસાતા સંપૂર્ણ ક્ષીણ થાય છે. માટે આવું અવિધિવાળું અનુષ્ઠાન પણ ફળતઃ વિધિરૂપ છે. અપ્રજ્ઞાપનીય જીવને ગુરુ વગેરે કોઇક અવિધિ દર્શાવે તો પણ એ એનો સ્વીકાર વગેરે કરવાનો હોતો નથી. માટે એને ગુર્વાજ્ઞાયોગ જ હોતો નથી એમ કહેવાય. તથા એ અવિધિની પકડવાળો છે, માટે એને વિધિબહુમાન હોવું પણ માની શકાય એમ નથી. તેથી એ બહુમાનના પ્રભાવે દોષક્ષીણતા જે થવાની હતી તે પણ એને થતી નથી. માટે એ રીતે પણ એનું અનુષ્ઠાન ફળતઃ વિધિરૂપ બનતું નથી. તેથી ‘એનું અનુષ્ઠાન દોષરૂપ નથી’ એમ કહી ન શકાય.
अवोचाम चाध्यात्मसारप्रकरणे
अशुद्धापि हि शुद्धायाः क्रिया हेतुः सदाशयात् । ताम्र रसानुवेधेन स्वर्णत्वमुपगच्छति ।। २-१६ ॥
વૃત્તિઅર્થ : અધ્યાત્મસારપ્રકરણમાં અમે (વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે) કહ્યું છે કે - અશુદ્ધ પણ ક્રિયા શુભ આશયના પ્રભાવે શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. જેમકે રસનો અનુવેધ થવાથી તાંબુ સુવર્ણ બને છે. [શુભઆશય એ સુવર્ણરસ (સુવર્ણ બનાવનાર રસ) તુલ્ય જાણવો. પ્રજ્ઞાપનીયજીવના વિધિબહુમાનાદિ એ શુભ આશય છે એ જાણવું, એ અશુદ્ધિને દૂર કરી શુદ્ધ ક્રિયા લાવી આપે છે.]
यस्तु विध्यबहुमानादविधिक्रियामासेवते तत्कर्तुरपेक्षया विधिव्यवस्थापनरसिकस्तदकर्ताऽपि भव्य एव तदुक्तं योगदृष्टिसमुच्चये ग्रन्थकृतैव
202
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા...૧૬
www.jainelibrary.org