________________
तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२९ ॥
વૃત્તિઅર્થ : જે જીવ વિધિપ્રત્યે બહુમાન ન હોવાથી અવિધિવાળી ક્રિયા કરે છે તે (જીવરૂપ) કર્તાની અપેક્ષાએ વિધિવ્યવસ્થાપનનો રસિક એવો ક્રિયાનો અકર્તા પણ સુંદર જ છે. શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં સ્વયં ગ્રન્થકારે જ કહ્યું છે – તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા... આ બન્નેનું અંતર સૂર્ય અને ખજવાના અંતર જેવું (વિશાળ) જાણવું.
વિવેચન : ક્રિયામાં સૂત્રોક્તવિધિ કરતાં અન્યથાત્વ (=જુદા પ્રકારનું આચરણ) અનેક રીતે આવે છે
(૧) અપવાદપક - સંવિગ્ન ગીતાર્થ, કૃતયોગી (=અનુભવી), પ્રબળ કારણે, વિધિ કરતાં અન્યથા આચરણ જયણાપૂર્વક કરે એ અપવાદ છે. એ પણ માર્ગરૂપ જ હોવાથી, એમાં દોષ લાગતો નથી. કારણ ન હોય ત્યારે ઉત્સર્ગ અને કારણ હોય ત્યારે અપવાદ... આ બન્ને માર્ગરૂપ જ છે, અને માર્ગરૂપ છે માટે આરાધના જ છે, વિરાધના નથી. વિધિમાં પાંચ ટકા અન્યથાત્વ કરવાથી ચાલે એમ હોય તો દસ ટકા અન્યથાત્વ ન કરવું.... દસ ટકા આવશ્યક હોય તો પંદર ટકા ન કરવું... આ બધું જયણા કહેવાય છે. છદ્મસ્થતાવશાત્ આના નિર્ણયમાં ઓછાવત્તાપણાના કારણે જયણામાં ઓછાવત્તાપણું આવે તો.. તથા અવિધિ વગેરે છૂટની સૂગ ઊડી ન જાય એ માટે આપવાદિક આચરણાની આલોચના કરવામાં આવે છે. બાકી સંપૂર્ણ જયણા પાલન હોય તો વિરાધના કરી હોતી નથી. આ કલ્પિકા પ્રતિસેવના કહેવાય છે. (છતાં, આલોચના તો કરવાની જ હોય, એ જાણવું.)
(૨) અનાભોગ - સામાન્યથી આખા અનુષ્ઠાન દરમ્યાન યથાયોગ્ય વિધિનો ઉપયોગ હોય ને તેને અનુસરીને જાળવણી હોય... છતાં વચ્ચે ક્યારેક અન્યત્ર ઉપયોગ ચાલી જવાથી વિધિનો ઉપયોગ ન રહે ને કંઇક અન્યથાત્વ આવી જાય તે અનાભોગથી આવેલું અન્યથાત્વ છે.
(૩) સહસાત્કાર - વિવક્ષિત અવસરે વિધિનો ઉપયોગ પણ છે જ, છતાં પરિસ્થિતિવશાત્ કે તેવી પરિસ્થિતિમાં અનાદિસંસ્કારવશાત્ કંઇક અન્યથાત્વ આવે
વિધિમાં અન્યથાત્વ ૬ પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
203
www.jainelibrary.org