________________
જેને વારવાની શક્યતા ન હોય તે સહસાત્કારથી આવેલું અન્યથાત્વ છે. ટૂંકમાં ઉપયોગ હોવા છતાં અચાનક–એકદમ થઈ જતું અન્યથાત્વ એ સહસાત્કારપ્રયુક્ત કહેવાય.
કોઇપણ પ્રતિજ્ઞામાં અનાભોગ ને સહસાત્કાર આ બન્ને આગાર હોય જ છે. એટલે આ બેના કારણે જે અન્યથાત્વ આવે તેની આગારરૂપે છૂટ હોય છે, માટે એ પણ દોષકર નીવડતું નથી. છતાં જો કાળજી જતી રહે કે એનો પશ્ચાત્તાપ ન થાય તો એ પ્રમાદ-ઉપેક્ષા-બેઠરકારીનું કારણ બને છે. માટે એમાં પણ પશ્ચાત્તાપ રાખવો અને પાછળથી શક્ય કાળજી રાખવી.
(૪) પ્રમાદ - સામાન્યથી વિધિજાળવણીની કાળજી હોય. પણ ક્યારેક વિધિનો ઉપયોગ હોવા છતાં ને વિધિપાલન રશક્ય હોવા છતાં વિષય-કષાય-આળસ વગેરે રૂપ પ્રમાદવશાત્ કંઇક અન્યથાત્વ કરે તે પ્રમાદજન્ય જાણવું. આમાં જેવો ખ્યાલ આવે કે આ પ્રમાદ સેવી રહ્યો છું ને અવિધિ કરી રહ્યો છું... એટલે તરત પ્રમાદથી હઠી વિધિપાલન ચાલુ કરી દે. તથા પ્રમાદવશાત્ જે અવિધિ થઈ એનો પશ્ચાત્તાપપ્રાયશ્ચિત્ત કરે તો જ પ્રમાદ જાણવો. અન્યથા દર્પમાં જાય. પ્રમાદ પણ વધતો રહે તો ક્રમરાઃ દર્પ-આકુટિરૂપ બનવાની સંભાવના રહે.
(૫) દર્પ - વિધિપાલનનો માથે ભાર જ ન રાખે... વિધિ પાળી તો પણ શું ને ન પાળી તો પણ શું ? બધું સરખું... મનમાં આવે ત્યારે ને આવે એટલું પાળે. બાકી બધી ગરબડ... આ દર્પજન્ય અન્યથાત્વ છે. આને દર્ષિકા પ્રતિસેવના કહેવાય
છે.
(૬) આકુષ્ટિ - ઉધો-વિપરીત પરિણામ એ આકુદ્ધિ છે. ‘“તમે વિધિપાલનનો આગ્રહ રાખો છો ? જાવ હું તો ઉધું જ કરવાનો... અવિધિ જ કરવાનો. મને શું થવાનું છે ?’’ આવા બધા વિપરીત પરિણામથી જે અન્યથાત્વ કરે તે આકુટિજન્ય જાણવું.
આમાંથી દર્ષ અને આકુદ્ધિ જન્ય અવિધિદોષ સાનુબન્ધ હોય છે. (એ પણ પાછળથી તીવ્ર પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત કરવાથી નિરનુબન્ધ બને છે અને નષ્ટ પણ થઈ શકે છે તે જાણવું. )
જેને વિધિ પ્રત્યે બહુમાન જ નથી એનો અવિધિદોષ ઠર્ષ કે આકુદ્ધિની કક્ષામાં
204
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા .૧૬
www.jainelibrary.org