SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વચનને વિના વિકલ્પ અતત્તિ કરવું પણ એવો અર્થ કરાય છે કે સંવિગ્નગીતાર્થના (તથા, સંવિઝપાક્ષિકગીતાર્થના પણ) વચનને વિના વિકલ્પ તત્તિ કરવું અને તભિન્નના વચનને વિકલ્પ તહત્તિ કરવું. અર્થાત્ એ યુક્તિસંગત હોય તો તહત્તિ કરવું, ને યુક્તસંગત ન હોય તો તહત્તિ ન કરવું.’ આ વ્યવસ્થિતવિભાષા કહેવાય છે. પ્રસ્તુતમાં પણ આવી વ્યવસ્થિત વિભાષા છે. ‘સ્થાનાદિમાં યત્નપરાયણ ઈતરજીવોને પદારિજ્ઞાન કેવલ શ્રેયઃ છેઆનો અર્થ ‘આવા જીવોને એ માત્ર (ક્યારેક અશ્રેયસ્કર બને એવા વિકલ્પ વિના) શ્રેયઃ રૂપ જ છે. અને તદ્વિત્ર જીવોને અશ્રેય રૂપ જ છે આવો નથી કરવાનો, પણ “યત્નપરાયણજીવોને માત્ર શ્રેયરૂપ છે, અને જેઓ સ્થાનાદિમાં યત્નપરાયણ નથી કે જેઓ અર્થ-આલંબનની તીવ્રસ્પૃહાવાળા નથી કે જેઓ બન્ને નથી એવા જીવોને આ પદપરિજ્ઞાન વિકલ્પ શ્રેય રૂપ છે, અર્થાત્ એવા જીવોમાંથી કેટલાકને એ શ્રેયોરૂપ નીવડે છે અને કેટલાકને એ શ્રેયોરૂપ નથી પણ નીવડતું...” આવી વ્યવસ્થિતવિભાષા માનવી આવશ્યક છે, કારણકે પ્રારંભિક અવસ્થામાં અતિશયિત પ્રયત્નથી શૂન્ય એવું ઓછા-વત્તા પ્રયત્નવાળું અનુષ્ઠાન ચાલુ રાખવામાં આવે તો એ જ કમશઃ યત્નાતિશય વગેરેને ખેંચી લાવનારું બને છે અને તેથી પરંપરાએ શ્રેયસ્કર નીવડે છે. નહીંતર તોયોગમાર્ગ જ બહુધા અસંભવિત બની જાય... કારણકે પ્રારંભકાળે મોટાભાગના જીવો સ્થાનાદિમાં અત્યંત પ્રયત્નને અર્થઆલંબનની તીવ્રસ્પૃહા... આ બન્ને વગરના જ હોવાથી તેઓનું પ્રારંભિક ચૈત્યવન્દન જ પ્રયત્નાતિશયનોને તીવ્રસ્પૃહાનો અભાવ હોવાના કારણે અશ્રેયસ્કર નીવડી જાય, અને તેથી તેઓ આગળ વધી શકે નહીં. તથા, જેઓ ઇચ્છા કક્ષાનો સ્થાનયોગ સેવે છે એમને યથાવિહિત તો શું? યથાશક્તિ પણ હજુ મુદ્રાદિપાલનનો પ્રયત્ન નથી... એમ એમને યથાવિહિત સ્થાનસેવનની ઇચ્છા હોવાનો નિયમ છે, પણ આગળના અર્થ-આલમ્બન યોગની તીવ્રસ્પૃહાનો કાંઈ નિયમ નથી (અર્થાત્ અર્થ-આલંબનની તીવ્રસ્પૃહા હોય તો જ ઇચ્છાકક્ષાનો સ્થાનયોગ હોય એવો કાંઇ નિયમ નથી.) એટલે સ્થાનના ઈચ્છયોગીને સ્વાનુભવને, ‘મોહ-અજ્ઞાન વગેરે કારણે પોતાને આવું અનુભવાય છે. એમ અપ્રમાણ માનવો. જ્યાં ક્ષયોપશમનો અભાવ વગેરે કારણે યુક્તિ કે અનુભવ ઉપલબ્ધ ન હોય ત્યાં પણ આપ્તપુરુષના વચનને વિના વિકલ્પ તહત્તિ કરવું, પણ વિરુદ્ધ યુક્તિની આશંકા ન કરવી. આ બધું વિના વિકલ્પ તહત્તિ કર્યું કહેવાય. િવ્યવસ્થિત વિભાષા] (137) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy