________________
પણ જીવનું શ્રદ્ધાયુક્ત એવું વિશેષણ આવશ્યક જાણવું.)
(૨) તથા = તે પ્રકારે યથાર્થજ્ઞાન થાય છે. તે પ્રકારે એટલે જે પ્રકારે સૂત્રના વર્ણો સાંભળવા મળે તે પ્રકારે. અને સાંભળવા તો તે જ પ્રકારે મળે જે પ્રકારે ઉચ્ચારાતા હોય. એટલે છેવટે એ અર્થ મળ્યો કે વર્ષો જે પ્રકારે ઉચ્ચારાતા હોય તે પ્રકારે = તે કમ = (તે આનુપૂર્વીએ) પદજ્ઞાન થાય છે. માટે અહીં વર્ણાનુપૂર્વીને જ પ્રકાર તરીકે કહી છે. વળી ઊર્ણયોગ આપનાર ગુરુ સ્વયં ઊર્ણયોગમાં સિદ્ધ થયેલા છે. માટે તેઓ સ્વર, સંપદા, માત્રા વગેરેથી શુદ્ધ રીતે અને વર્ષો પરસ્પર ભેગા ન થઈ જાય-દબાઈ ન જાય એ રીતે સ્પષ્ટપણે જ વર્ગોનો ઉચ્ચાર કરે છે. તેથી શ્રોતાને જે પદજ્ઞાન થાય છે તેયથાર્થ થાય છે. (એ જ રીતે ગુરુ સ્થાનયોગમાં પણ સિદ્ધ હોવાથી યથાર્થ મુદ્રા જાળવતા જ હોવાના કારણે શિષ્યને સ્થાનનું પણ યથાર્થશાન થાય છે.)
(૩) પરિશુદ્ધપદોચ્ચાર હોવા માત્રથી શ્રોતાને યથાર્થપદજ્ઞાન શી રીતે થઈ જાય? આવી શંકાને નિર્મૂળ કરવા માટે પરિશુદ્ધપદશાન, આવી સામગ્રીમાત્રથી જન્ય છે એ હેતુ તરીકે જણાવવું છે. એટલે એ જણાવવા માટે પરિશુદ્ધપદોચ્ચારે.' વગેરે વાક્ય છે. મૂળમાં યથાર્થપદજ્ઞાન થાય છે એમ જણાવ્યું છે, એટલે વૃત્તિકારે એ થવાનું કારણ દર્શાવી એ થવાની સંગતિ કરી દેખાડી છે.
(૪) દોષાભાવે.. ગુરુ તો પરિશુદ્ધ રીતે પદોચ્ચાર કરતા હોય પણ શિષ્યની કર્મેન્દ્રિયમાં કંઈક ખામી હોય તો વ્યવસ્થિતન સંભળાવાના કારણે પદજ્ઞાન અયથાર્થ થવાની શક્યતા રહે છે. તેથી, પરિશુદ્ધપદજ્ઞાન માટે દોષાભાવ* પણ આવશ્યક છે.
*પરિશુદ્ધોદ્ગારે તોષામાવે સતિ... આવી જે પંક્તિ છે એમાં વસ્તુતઃ બે સતી સપ્તમીના પ્રયોગ છે. અર્થાતુપદ્ધિવોવારે (ત્તિ) રોષમાવેતિ... આમ પંક્તિ જાણવી જોઇએ. એટલે કે પરિશુદ્ધપદોચ્ચાર પદને જે સાતમી વિભક્તિ લગાડવામાં આવી છે તે સતી સપ્તમીનો અર્થ મેળવવા માટે છે, પણ આધાર અર્થ મેળવવા માટે નથી. ને તેથી, “દોષાભાવ તો કાનમાં રહે છે. એ પરિશુદ્ધ પદોચ્ચારમાં શી રીતે રહે ? વગેરે પ્રશ્ન ઊઠાવી. કાનમાં રહેલા દોષાભાવનો પરિશુદ્ધ પદોચ્ચારમાં ઉપચાર કરવો. વગેરે અયુક્ત કલ્પના કરવી આવશ્યક નથી. વળી ઉપચાર પણ આડેધડ મનફાવે તેમ થઈ શકતો નથી. કાર્યમાં કારણનો, આધેયમાં આધારનો, કોઇ એક વસ્તુમાં એને બહુ સમાન ધર્મવાળી અન્ય વસ્તુનો... આવા બધા થઈ શકે છે. પ્રસ્તુતમાં આમાંનું શું છે કે જેથી દોષાભાવનો ઉપચાર પરિશુદ્ધ પદોચ્ચારમાં થઈ શકે? વળી આયુષ્કૃતમ્ વગેરે સ્થળે ઘીમાં આયુષ્યનો ઉપચાર છે તો ઘી પોતે જ આયુષ્ય કહેવાય છે. ઘીમાં આયુષ્ય' એમ નથી કહેવાતું એમ પ્રસ્તુતમાં જો પરિશુદ્ધપદોચ્ચારમાં દોષાભાવનો ઉપચાર હોય તો પરિશુદ્ધ(118)
યોગવિંશિકા...૧૦-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org