SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) પરિશુદ્ધપદજ્ઞાન એ શ્રાવણ પ્રત્યક્ષ છે, માટે શ્રાવણપ્રત્યક્ષની જે સામગ્રી હોય એનાથી એ જન્ય હોય એ સ્પષ્ટ છે. વક્તા દ્વારા બોલાતા શબ્દોને કાન દ્વારા સાંભળવા એ શ્રાવણપ્રત્યક્ષ છે, આ જ પદજ્ઞાન છે. શ્રોતા વક્તાથી ખૂબ દૂર હોય તો ઉચ્ચાર્યમાણશબ્દોને સાંભળી શકે નહીં. માટે શ્રોતાનું યોગ્યદેશાવસ્થાન જોઇએ. શબ્દોનો શ્રોતાની કર્મેન્દ્રિય સાથે પર્યાપ્ત સમ્બન્ધ થવારૂપ વ્યંજનાવગ્રહ પણ જોઇએ. (નૈયાયિકની ભાષામાં વિષય-ઇન્દ્રિય સંનિકર્ષજોઇએ.) તથા શ્રોતાના કાનમાં શબ્દો તો ઘણા જાય. પણ પોતાનો ઉપયોગ ન હોય તો પણ શ્રાવણપ્રત્યક્ષ ન થાય. માટે શ્રોતાનો ઉપયોગ પણ શ્રાવણસામગ્રીમાં સમાવિષ્ટ છે. (નૈયાયિકની ભાષામાં આત્મ-મનઃસંયોગનેમન ઇન્દ્રિયસંયોગજોઇએ.) એટલે શ્રાવણ સામગ્રીમાં યોગ્યદેશાવસ્થાન, વ્યંજનાવગ્રહ, ઉપયોગ વગેરે સમાવિષ્ટ છે એ જાણવું. (સ્થાનયોગ માટે પણ ઉપલક્ષણથી બધું જાણી લેવું.... અર્થાત્ પરિશુદ્ધમુદ્રાની જાળવણી હોતે છતે શિષ્યની ચક્ષુમાં ખામી રૂપ દોષનો અભાવ હોય તો સ્થાન (મુદ્રા)નું યથાર્થ જ્ઞાન (=અભ્રાન્તચાક્ષુષપ્રત્યક્ષ) ચાક્ષુષપ્રત્યક્ષની સામગ્રીમાત્રથી જન્ય છે. ચાક્ષુષની સામગ્રીમાં યોગ્યદેશાવસ્થાન, આલોકસંયોગ, ઉપયોગ વગેરેનો સમાવેશ જાણવો.) મે ૧૦ एयं च त्ति । एतच्च परिशुद्धं चैत्यवन्दनदण्डकपदपरिज्ञानम्, 'अर्थ: उपदेशपदप्रसिद्धपद-वाक्य-महावाक्य-ऐदंपर्यार्थपरिशुद्धज्ञानम्, आलम्बनश्च-प्रथमे दण्डके પદોચ્ચાર પોતે દોષભાવ કહેવાય... પણ પરિશુદ્ધપદોચ્ચારમાં દોષાભાવ' આવો અર્થ તો ન મળે. વસ્તુતઃ ‘પરિશુદ્ધપદોચ્ચાર હોતે છતે જો દોષાભાવ હોય તો (અર્થાત્ વક્તાપક્ષે પદનો પરિશુદ્ધ ઉચ્ચાર હોય અને શ્રોતાપક્ષે દોષાભાવ હોય તો) યથાર્થ પદજ્ઞાન માત્ર શ્રાવણપ્રત્યક્ષની સામગ્રીથી જન્ય હોય છે? આવો અહીં અર્થ જાણવો. 0 “અહીં શ્રાવણ સામગ્રીમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. (૧) ઇન્દ્રિયોની ક્ષતિનો અભાવ (૨) શ્રવણકાળમાં ઉપયોગ (૩) પઠનું પરિશુદ્ધ ઉચ્ચારણ (૪) કિયાનું આસ્તિક્ય (૫) યથાર્થ પઠજ્ઞાન...” આવું વિવેચન ગલત જાણવું. કારણકે ‘ઇન્દ્રિયની ક્ષતિનો અભાવ તથા પરિશુદ્ધપઠોચ્ચારણ પણ શ્રાવણસામગ્રીમાં જ સમાવિષ્ટ છે. આવી જ વૃત્તિકારની વિવેક્ષા હોત તો તેઓ એનો પરિશુદ્ધપોરે તોષામાવે સતિ’ એમ સ્વત–ઉલ્લેખ ન કરત. માસ્તપૂજૅ એવો સ્વતંત્ર ઉલ્લેખ ક્ય હોય ત્યારે વેવ શબ્દ હવાથી ભરાયેલાં છિદ્રોવાળો વેણું એવો અર્થન જણાવતાં માત્ર વેણુ એટલો જ અર્થ જણાવે છે. એમ પ્રસ્તુતમાં પરિશુદ્ધપદોચ્ચાર વગેરેનો સ્વતંત્ર ઉલ્લેખ છે, તો શ્રાવણ સામગ્રી પદ એ સિવાયની સામગ્રીને જ જણાવવાના તાત્પર્યવાળો હોય શકે. તથા યથાર્થ પદજ્ઞાન તો સ્વયં કાર્ય છે, એનો કારણસામગ્રીમાં સમાવેશ શી રીતે હોય શકે? [ પદાર્થ – વાક્યર્થાદિ (119) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy