SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશુદ્ધપદોચ્ચાર હોતે છતે જો કોઇ દોષ હોય નહીં તો પરિશુદ્ધપદજ્ઞાન થવું એ માત્ર શ્રાવણપ્રત્યક્ષની સામગ્રીને આધીન હોય છે. વિવેચનઃ સ્થાનાદિયોગના વિષયભૂત (=અધિકારી) જીવને સ્થાનાદિ આપવાનો અધિકાર ચાલે છે... સ્થાનાદિયોગ સ્વતન્ત્ર આપી શકાતા નથી. એટલે સ્થાનાદિ જેમાં સંવલિત થઈને યોગ્ય જીવને પ્રાપ્ત થાય એવા ચૈત્યવન્દનાદિ ધર્મવ્યાપારને દષ્ટાન્ત તરીકે લઈને એ આપવાની વાત ગ્રન્થમાં આવી છે. ગુરુ યોગ્ય જીવને ચૈત્યવન્દનના સૂત્ર આપે ત્યારે યોગ્ય મુદ્રા જાળવવા દ્વારા જ આપે છે. એ જોઈને ક્રિયાના આસ્તિક્યવાળા જીવને તેતેસૂત્ર-ફ્લિાવખતે કઇ કઇ મુદ્રા જાળવવી એનું અભ્રાન્તજ્ઞાન થઈ જાય છે, જેથી પછી એ પણ એવી મુદ્રા જાળવતો થાય છે જે સ્થાનયોગ છે. આમ સૂત્રોચ્ચારની સાથે સાથે જ ગુરુ મુદ્રાજ્ઞાન પણ આપી દેતા હોવાથી અહીં મુદ્રા અંગેનો સ્વતન્ત્ર ઉલ્લેખ કર્યો નથી. પણ યથાર્થ પદજ્ઞાન થાય છે આવું જે જણાવ્યું છે એના જ ઉપલક્ષણથી “યથાર્થ સ્થાનજ્ઞાન થાય છે એ પણ જાણી લેવું. વળી, યથાર્થ પદજ્ઞાન થવા માટે જેમ અહીં, ‘પરિશુદ્ધ પદોચ્ચાર હોય અને દોષાભાવ હોય તો શ્રાવણપ્રત્યક્ષની સામગ્રીમાત્રથી યથાર્થ પદજ્ઞાન થઈ જાય છે એવું જણાવ્યું છે એમ એના ઉપલક્ષણથી પરિશુદ્ધ મુદ્રાની જાળવણી હોય અને દોષાભાવ હોય તો ચાક્ષુષપ્રત્યક્ષની સામગ્રીમાત્રથી યથાર્થ મુદ્રા (સ્થાન) જ્ઞાન થઈ જાય છે એ પણ જાણી લેવું. (ઉપલક્ષણથી આ રીતે સ્થાનનું જ્ઞાન થવું પણ માનવું આવશ્યક છે જ, અન્યથા આગળ જે સ્થાનાદિમાં પ્રયત્નશીલ.... વગેરે કહેવાના છે એ અસંગત કરી જાય... તે પણ એટલા માટે કે સ્થાનનું જ્ઞાન જ ન હોય તો એમાં પ્રયત્ન પણ શું થાય?) (૧) યિા વિના પણ ઉદ્ધાર નથી. આવી શ્રદ્ધા જેટલી દઢ એટલી યિાની આતુરતા તીવ્ર... ને એ આતુરતા જેટલી તીવ્ર બને એટલો ક્ષયોપશમ પણ તીવ્ર બને જે પરિશુદ્ધ પદજ્ઞાન કરાવે છે. માટે અહીં, યથાર્થપદજ્ઞાન શ્રદ્ધાયુક્ત જીવને થાય છે એમ કહ્યું છે. આર્યરક્ષિત બ્રાહ્મણને તીવ્ર આતુરતા હતી એટલે ઢફ્ફરશ્રાવકને એક વાર વંદન કરતો જોયોને વંદનનું સૂત્ર બોલતો સાંભળ્યો એનાથી વંદનક્યિા(=વંદન દરમ્યાન કમશઃ પ્રવર્તાવવાની શારીરિક ચેષ્ટારૂપસ્થાન) નેવંદનસૂત્રબન્નેનું જ્ઞાન થઈ ગયું. (એટલે જ, સ્થાનનું પણ અભ્રાન્તજ્ઞાન થવાની જે વાત ઉપલક્ષણથી લીધી, તેમાં થિયાર્થપદ - મુદ્રાાન) [17] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy