________________
(૨) ૧૫-૧૦મા શ્લોકના ઉત્તરાર્ધમાં તત્ શબ્દ બે વાર વપરાયો છે, ને થતુ શબ્દ એક જ વાર વપરાયો છે. એટલે એક તત્ શબ્દ તો એમાં જ રહેલાવત્ શબ્દ સાથે સંબંધ ધરાવે છે. પણ બીજા તત્ શબ્દ માટે કોઈ ચત્ શબ્દ વપરાયો નથી. ચત્તવો નિત્યમમસમ્બન્ધઃ ન્યાયે વત્ ના પ્રયોગ વિના તત્ નો પ્રયોગ થઈ શક્તો નથી. કારણકે થતુ થી કોઇનો જ ઉલ્લેખ થયો ન હોય તો તત્ કોનો પરામર્શ કરે? યહૂ થી ઉદ્ધિખિતનો જ તત્ પરામર્શક હોય છે. તેમ છતાં, ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીના મૂળગ્રન્થ કારિકાવલીની પ્રથમ કારિકામાં ત #Mય નમ: એવો યત્ ના પ્રયોગ વિના તત્ નો પ્રયોગ મળે છે. ત્યાં ખુલાસો કરાયો છે કે ઉક્ત નિયમમાં પ્રસિદ્ધ વ્યક્તિ (વસ્તુ) માટે અપવાદ છે. યત્ ના પ્રયોગ વિના પણ તત્ નો પ્રયોગપ્રસિદ્ધને જણાવવા માટે થઈ શકે છે.... જે આવા આવા છે...” આવું કશું કહ્યું ન હોય તો પણ, તે કૃષ્ણને નમસ્કાર થાઓ આવું સાંભળીને શ્રોતાને તે એટલે ક્યા કૃષ્ણને નમસ્કાર કરવાની અહીં વાત છે?” આવો પ્રશ્ન નથી થતો, કારણકે કૃષ્ણ પ્રસિદ્ધ છે.
એમ પ્રસ્તુતમાં પ્રકૃષ્ટ જ્યોતિ પ્રસિદ્ધ છે, માટે યત્ ના પ્રયોગ વિના તત્ નો ઉલ્લેખ થયો છે. ને એનું સૂચન કરવા તત્વ નું પ્રસિદ્ધ એવું વિવરણ કર્યું છે એ જાણવું. એટલે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ આવો જાણવો-અને આ=પરતત્ત્વદર્શન તે કેવલજ્ઞાન છે જે તે (પ્રસિદ્ધ) પ્રકૃષ્ટજ્યોતિ સ્વરૂપ છે.
[આમાં પ્રસિદ્ધ તરીકે પ્રકૃષ્ટ જ્યોતિ' પ્રાપ્ત થાય છે - કારણકે એનો ઉલ્લેખ કરનાર તત્ ને સંબદ્ધતુનો પ્રયોગ નથી. (જો કેવલજ્ઞાનને જ પ્રસિદ્ધ તરીકે લેવું હોય તો આવો અર્થ કરવો પડે) અને આ = પરતત્ત્વદર્શને તે પ્રકૃષ્ટ જ્યોતિ છે જે તે (પ્રસિદ્ધ) કેવલજ્ઞાન સ્વરૂપ છે.
આમાં વાસ્તવિક અભિપ્રેતાર્થનો ગીતાર્થોએ નિર્ણય કરવો.]
स्यादत्र कस्यचिदाशङ्का - इषुपातज्ञातात्परतत्त्वदर्शने सति केवलज्ञानोत्तरमनालम्बनयोगप्रवृत्तिर्मा भूत् सालम्बनयोगप्रवृत्तिस्तु विशिष्टतरा काचित्स्यादेव, केवलज्ञानस्य लब्धत्वेऽपि मोक्षस्याद्यापि योजनीयत्वात्।
વૃત્તિઅર્થ અહીં કોઈને આશંકા થઈ શકે કે - શંકા- ઇષપાતના દષ્ટાન્તથી પરતત્ત્વદર્શન થઈ જાય એટલે કેવલજ્ઞાન થયા પછી અનાલંબનયોગની પ્રવૃત્તિ ભલે ન હો. સાલંબનયોગની તો કોઇક વધારે વિશિષ્ટ પ્રવૃત્તિ હોવી જ જોઈએ, કારણકે વિલીને સાલંબનયોગનો પણ અભાવ)
2િ53)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org