________________
વૃત્તિઅર્થઃ પોશાજીમાં કહ્યું છે કે - વસ્તુતઃ અયં = આ પરમાત્મઠિદક્ષા નામનો યોગ તત્ર = પરતમાં અપ્રતિષ્ઠિત = અલબ્ધપ્રતિષ્ઠ છે, વળી પરતત્ત્વ અંગે જ એ ધ્યાનરૂપે પ્રવૃત્ત છે. તેથી સર્વોત્તમ એવા અયોગનામના યોગની પૂર્વવર્તી એવો આ યોગ અનાલંબનયોગ કહેવાયેલો છે. આ અનાલંબનયોગથી ટ્રાફાશી તદન=પરતત્ત્વનું દર્શને ઇષપાતના દષ્ટાન્તમાત્રને અનુસરીને જાણવું. અને આ પરતત્ત્વદર્શન એ તે પ્રસિદ્ધ કેવલજ્ઞાન છે જે પ્રકૃષ્ટ જ્યોતિ છે. (આ બે શ્લોકના કેટલાક શબ્દોના અર્થ-) તત્ર પરતત્ત્વમાં. અપ્રતિષ્ઠિત અલબ્ધપ્રતિષ્ઠા સર્વોત્તમયોગ એટલે અયોગનામનોયોગ. તેનો અનુજ = પૃષ્ઠભાવી. તદર્શન = પરતત્ત્વદર્શન. એતત્ = પરતત્ત્વદર્શન. કેવલ સંપૂર્ણ ત–પ્રસિદ્ધ તે પ્રસિદ્ધ એવું જ કેવલજ્ઞાન, તે પર=પ્રકૃષ્ટજ્યોતિ છે, આમ અર્થ જાણવો.
વિવેચનઃ બધું વિવેચનલગભગ પૂર્વે આવી ગયું છે. બે અર્થોને વિચારીએ.
(૧) અહીં અનુજઃ શબ્દનો અર્થ પૃષ્ઠભાવી ર્યો છે, ને એ જ અર્થ પ્રસિદ્ધ છે. (મનું = પશ્ચાત્ જ્ઞાતિ: અનુન: પાછળથી જન્મેલો હોય તે અનુજ... એટલે જ પૃષ્ઠભાવી.) મોટો ભાઈ પ્રથમ જન્મે છે નેનાનોભાઈ પછી જન્મે છે. એટલે ‘અનુજ શબ્દ ‘નાનોભાઈ’ એવા અર્થમાં પ્રચલિત છે. અયોગનામનો સર્વોત્તમ યોગ જો મોટોભાઈ છે, તો અનાલંબનયોગ એનાનાનાભાઈ જેવો જ છે, માટે એ એનો અનુજ= પૃષ્ઠભાવી છે... આવો અભિપ્રાય જાણવો. મોક્ષપ્રાપ્તિ કરાવવામાં અયોગનું ખૂબ સામર્થ્ય છે અને એની અપેક્ષાએ અનાલંબનયોગનું અલ્પ સામર્થ્ય છે. માટે અયોગ એમોટોભાઇ અને અનાલંબન એનાનોભાઇ એવી કલ્પના સંગત દરે છે. તેથી, અયોગને પૃષ્ઠભાવી એટલે ‘અયોગયોગ થયા પછી થનારો યોગ એવો અર્થ કરવો નહીં.
પોડશજીની વૃત્તિમાં તો વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે અનુજ: નો અર્થ પ્રાગનન્તરવર્તી કરીને અનાલંબનયોગને અયોગયોગના પૂર્વવર્તી યોગ તરીકે જણાવી જ દીધો છે.
ષોડશકજીના ૧૫-૯મા શ્લોકમાં રહેલા સર્વોત્તમનુન: શબ્દનો સર્વોત્તમ: અનુ: યસ્ય સ (બનાસ્તવુન:) આવો બહુવ્રીહિસમાસ કરવાથી પણ અભિપ્રેત અર્થ મળી શકે છે એ જાણવું
2િ52)
યોગવિંશિક....૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org