SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ રજુઆત ને એની અવળી અસરો જોવા મળી.. એટલે એનો પ્રતિકાર કરવા ક્યારેક દિવ્યદર્શનમાં ને ક્યારેક પ્રવચનોમાં તદ્વેતુઅનુષ્ઠાનની વાતો પણ આવશ્યક બની. પ્રશ્ન - પણ ભૌતિક અપેક્ષાઓને છોડવાની ચાનકને મોળી પાડનારી હોવાથી આ વાતો ધાર્મિકજીવોને તો કરવાની હોય જ નહીં... ને દિવ્યદર્શનાદિ દ્વારા એ થઈ... એટલે એ તો ખોટું જ થયું ને ? ઉત્તર - અવિધિ છોડવાની ચાનક લાગે એ માટે ધાર્મિકજીવોને અવિધિવાળા અનુષ્ઠાનના દોષ દર્શાવ્યા કરવા જોઇએ એ હકીકતને અનુસરીને પ્રસ્તુતમાં પણ વિષગરની ભયંકરતા દર્શાવ્યા કરવી જોઇએ એ બરાબર છે. યોગવિંશિકા ગ્રન્થ પણ ધાર્મિકજીવો (કુલયોગીઓ) માટે છે. ને તેથી અવિધિયુક્ત અનુષ્ઠાનના મહામૃષાવાદાદિ દોષોનું સબળ પ્રતિપાદન તેમાં છે જ. તેમ છતાં, કોઈ અગીતાર્થ વ્યક્તિ માત્ર એનો શબ્દાર્થ પકડી, અવિધિ છોડી ન શકનાર ધાર્મિકજીવોને ‘એના કરતાં અનુષ્ઠાન જ છોડી દઇએ’ એવી પ્રતીતિ કરાવનાર નિરૂપણ કરવા ન માંડ એટલે ગ્રન્થકારે અવિધિયુક્ત અનુષ્ઠાનની સફળતા પણ દર્શાવી જ છે ને ? નહીંતર ધાર્મિકજીવો અવિધિજ અપેક્ષા વગેરે છોડીને વાસ્તવિક યોગ પામે એ માટે રચાયેલા ગ્રન્થોમાં આવી વાતો શા માટે કરે ? છતાં કરી તો છે જ. એટલે, કોઇ પોતાની શાસ્ત્રરહસ્યઅનભિજ્ઞતાના કારણે કે કુતર્કના જોરે ઉધો અર્થ ન ફેલાવે એ માટે, ધાર્મિકજીવો જ જેને સાંભળવાનાભણવાના છે એવા આ ગ્રન્થમાં અવિધિકૃત અનુષ્ઠાનની સફળતા પણ દર્શાવવામાં આવી છે તેમ એવા જીવોને, વિપરીત અર્થઘટનને અટકાવવા અપેક્ષાકૃત અનુષ્ઠાનની પણ લાભકારકતા દર્શાવવી સપ્રસંગ આવશ્યક બને જ છે, ને એ અયોગ્ય પણ નથી જ. અવિધિ અને અપેક્ષા અંગે ઘણી વાતો સમાન હોવા છતાં થોડો જે મુખ્ય ફરક છે તે આ છે - અર્થ-કામની ઇચ્છા-અપેક્ષા અનાદિકાળથી જીવને રહી છે જ્યારે અવિધિ એવી નથી. પ્રમાદના સંસ્કાર અનાદિકાલીન છે. એટલે, ધર્મમાં જીવ જ્યારથી જોડાય છે ત્યારથી લગભગ અવિધિનો પ્રારંભ થાય છે. (એ પૂર્વે તો ધર્મક્રિયા જ નથી, તો અવિધિ ક્યાંથી હોય શકે !) એટલે ‘જો તમે અર્થ-કામને ઇચ્છો છો તો પણ તમારે ધર્મ જ કરવો જોઇએ....’ વગેરે રીતે અર્થ-કામની ઇચ્છાને આગળ કરીને નવા જીવોને ધર્મમાં જોડી શકાય છે, અર્થ-કામની સંપ્રાપ્તિ રૂપે ધર્મનો મહિમા ગાઈ શકાય છે. આવું બધું અવિધિ માટે સંભવતું નથી. જયણાનુસારી નિર્જરા Jain Education International For Private & Personal Use Only 213 www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy