SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ न चैवं तादृशषष्ठ-सप्तमगुणस्थानपरिणतिप्रयोज्यविधिव्यवहाराभावादस्मदादीनामिदानीन्तनमावश्यकाद्याचरणमकर्तव्यमेव प्रसक्तमिति शङ्कनीयं, विकलानुष्ठानानामपि ‘जा जा हविज्ज जयणा सा सा से णिज्जरा होइ' इत्यादिवचनप्रामाण्यात् यत्किञ्चिद्विध्यनुष्ठानस्येच्छायोगसम्पादकतदितरस्यापि बालाद्यनुग्रहसम्पादकत्वेनाकर्तव्यत्वासिद्धेः। વૃત્તિઅર્થ “જો આવું જ હોય તો, તેવી છઠ-સાતમા ગુણઠાણાની પરિણતિથી પ્રયોજ્ય એવો વિધિવ્યવહાર ન હોવાથી આપણું વર્તમાનકાલીન આવશ્યક વગેરે આચરણ તો અકર્તવ્ય જ બની જશે” આવી શંકા ન કરવી, કારણ કે વિકલ અનુકાનવાળા જીવોનું પણ જે કંઇક વિધિની જાળવણીવાળું અનુષ્ઠાન હોય છે તે જે જે (જેટલી-જેટલી) જયણા હોય તે તે (તેટલી-તેટલી) તેને નિર્જરા થાય છે આ વચનના પ્રામાણ્યથી બાલાદિના અનુગ્રહનું સંપાદક હોવાથી અર્તવ્ય તરીકે સિદ્ધ થઈ શકતું નથી. એમ, ઇચ્છાયોગનું સંપાદક એવું તદિતર અનુષ્ઠાન પણ બાલાદિના અનુગ્રહનું સંપાદક હોવાથી અકર્તવ્ય તરીકે સિદ્ધ થઈ શકતું નથી. વિવેચનઃ (૧) એવું = પંડિત પુરુષે અતિનિપુણબુદ્ધિથી સાધુસમયસર્ભાવ જાણીને સમ્યફ પ્રવર્તવું જોઇએ, અસમંજસ વિધાનથી સૂત્રક્રિયાવિનાશ થાય છે જે તીર્થોચ્છેદમાં પરિણમે છે, આવી બધીવાતોથી, પોતાની સંપૂર્ણ સમગ્રતયા (= પોતાના સંપૂર્ણ સામર્થ્યપૂર્વક) વિધિ પાલનનો પ્રયત્ન કરવો જોઇએ. આવું જ જો તત્ત્વ નિશ્ચિત થાય છે, તો... (૨) શંકા - સંપૂર્ણતયા વિધિપાલન માટે સંપૂર્ણતયા આગમપરતન્ત્રતા જોઇએ છે જે વિશેષ પ્રકારની અપ્રમત્તતા વિના સંભવિત નથી. આ હોય તો નિરતિચાર સંયમ પાળી શકાય તેવી છઠ્ઠા-સાતમા ગુણઠાણાની પરિણતિ હોય જ. એટલે કે સંપૂર્ણ વિધિપાલન એવી વિશેષ પ્રકારની (નિરતિચારસંયમ પાલન કરાવે એવી) છક્કા-સાતમાગુણઠાણાની પરિણતિથી પ્રયોજ્ય છે. પણ વર્તમાનમાંતો પ્રમાદબહુલ જીવો છે ને બકુશકુશીલ ચારિત્ર છે. એટલે, છઠું સાતમું ગુણઠાણું હોય તેવા સંયમીઓને પણ એવી વિશિષ્ટ પ્રકારની પરિણતિન હોવાથી ત~યોજ્ય વિધિવ્યવહાર પણ નથી, અને તેથી ઓછી-વત્તી પણ અવિધિ થયા જ કરે છે. એટલે આવશ્યકચિત્યવન્દન વગેરે કોઈ અનુષ્ઠાન પરિપૂર્ણ થતા જ નથી, અવિધિ થયા જ કરે છે. તે 21) યિોગવિંશિકા...૧૬) 214 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy