________________
નથી. એમ વિષમ સંયોગોમાં કાલાદિ અંગેનો વિપર્યાસ પણ સંભવિત છે. અને તેમ છતાં, અમૃતાનુષ્ઠાન તો માન્યું જ છે. (હા, લબ્ધિરૂપે તો વિષમસંયોગોમાં પણ અંગવિપર્યાસન જ હોય એ જાણવું) અર્થાત્ વિધિ કરતાં જે અન્યથા પ્રવૃત્તિ હોય છે તે, તેવી ઇચ્છાવાતું કે પ્રમાદાદિવશાતું નથી હોતી પણ પરિસ્થિતિવશાત્ જ હોય છે. જેટલી વિધિ શક્ય હોય એટલો પ્રયત્ન તો અવશ્ય હોય જ છે. એટલે જ આગળ વિરતિધરને અમૃતાનુષ્ઠાનની જે સિદ્ધિ કરી દેખાડી છે તેમાં વિધિપતિનસમવેને ન કહેતાં વિધિ સમ્ભવેન કહ્યું છે. યોગબિન્દુમાં અમૃતાનુષ્ઠાનની જે વ્યાખ્યા આપી છે તે સર્વવ્યાપી છે એ જાણવું.
एतेषु त्रयं योगाभासत्वादहितं द्वयं तु सद्योगत्वाद्धितमिति तत्त्वम्। 'यत एवं स्थानादियत्नाभाववतोऽनुष्ठाने महादोषः, तत् = तस्मात् अनुरूपाणामेव = योग्यानामेव પઢિયાસ: ચૈત્યવન્દનસૂત્રપ્રવીનરૂપ: વર્તવ્ય: ૨૨
વૃત્તિઅર્થ: વિષાદિ આ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમના ત્રણ યોગાભાસ હોવાથી અહિત છે. છેલ્લા બે તો સદ્યોગરૂપ હોવાથી હિત છે, આ પ્રમાણે તત્ત્વ જાણવું. આમ સ્થાનાદિયત્નાભાવવાળાને અનુષ્ઠાનમાં મહાદોષ લાગે છે, તેથી યોગ્ય જીવોમાં જ ચૈત્યવન્દનસૂત્રના પ્રદાનરૂપ આનો વિન્યાસ કરવો જોઇએ.
વિવેચનઃ વિષ અને ગરમાં વિપરીત પ્રણિધાન હોવાથી અને અનુષ્કાનમાં પ્રણિધાનશૂન્યતા હોવાથી પ્રણિધાન આશય જ ભળેલો નથી. એટલે પ્રવૃત્તિ વગેરે આશયો પણ ન જ હોય એ તો સ્પષ્ટ છે જ. માટે એવા ચૈત્યવન્દનાદિ દ્રવ્યત્યવન્દન બનવાથી તુચ્છ છે. અસાર છે. ને તેથી યોગ નથી, પણ યોગાભાસ છે. અને એ નિષ્ફળ હોવાથી કે વિપરીતફલક હોવાથી અહિત છે. છેલ્લા બેમાં તહેતુઅનુષ્ઠાન પરંપરાએ અને અમૃતઅનુષ્ઠાન સાક્ષાત્ જીવને મોક્ષ સાથે જોડી આપનાર હોવાથી સદ્યોગરૂપ છે, ને તેથી હિત છે, એમ તત્ત્વ જાણવું.
(૧) યોગવિંશિકાની બારમી ગાથાની વૃત્તિ ચાલી રહી છે. હવે એના ઉત્તરાર્ધની વ્યાખ્યા આવે છે. એના પૂર્વાર્ધની વ્યાખ્યામાં વ્યાખ્યાકારે પહેલાં
સ્થાનાદિયત્નાભાવવાળાને નિષ્ફળતા શી રીતે અને વિપરીતસલક્તા શી રીતે ? એનું વિવેચન કર્યું. પછી વિષાદિઅનુષ્ઠાનમાં વિપરીતકલકતા દર્શાવી. અને સાથે સાથે છેલ્લા બે અનુષ્ઠાનમાં સદ્યોગત્વ દર્શાવ્યું. ગાથાના ઉત્તરાર્ધનો અર્થ આવો છે કે તેથી (162)
યોગવિંશિકા.....૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org