SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ્યજીવોને જ ચૈત્યવન્દનાદિસૂત્રો આપવા જોઈએ. "આની સાથે પૂર્વાર્ધનો સમ્બન્ધ જોડવા વૃત્તિકારે યત વુિં... વગેરે કહ્યું છે. એમાં વૃતિકારે વિષાદિઅનુષ્ઠાનવાળાને મહાદોષ લાગે છે, માટે યોગ્ય જીવોને જ સૂત્ર આપવાં’ આ રીતે ન કહેતાં, “સ્થાનાદિયત્નાભાવવાળાને અનુષ્કાનમાં મહાદોષ લાગે છે, માટે યોગ્ય જીવોને જ સૂત્રો આપવાં આ રીતે વ્યાખ્યા કરી છે. આનું કારણ એ છે કે મૂળકારે તો વિષાદિઅનુષ્ઠાનની કોઇ વાત જ કરી નથી. મૂળકારે તો “અર્થ-આલંબનયોગવાળા હોય એવા જીવોમાંથી નિરપાયયોગવાળાજીવોને ચૈત્યવન્દન વિના વિલંબે અભીષ્ટફળપ્રદ બને છે. સાપાયયોગવાળાજીવોને સવિલંબ અભીષ્ટફળપ્રદ બને છે. અર્થ - આલંબનશૂન્યજીવોમાંથી સ્થાનાદિના પ્રયત્નવાળા જીવોને પરંપરાએ ફળપ્રદ બને છે. અને સ્થાનાદિના પ્રયત્નશુન્ય જીવોને ચૈત્યવન્દન નિષ્ફળ કે વિપરીત ફલક બને છે આ પ્રમાણે જણાવ્યું છે. એટલે તવં વગેરેમાં રહેલાવંના અર્થતરીકે- તે તેજીવોની અપેક્ષાએ ચૈત્યવન્દનની વિના વિલંબે ફળપ્રદતા, સવિલબ ફળપ્રદતા, પરંપરાએ ફળપ્રદતા, નિષ્ફળતા કે વિપરીતફલતા... આ બધી વાતો, વૃત્તિકારે ‘યત અવસ્થાનાવિયત્નમાવવતો... વગેરે જે જણાવ્યું છે તેનાથી અન્યદીપકન્યાયે લઈ લેવી. તેથી સમુદિતાર્થ આવો મળ્યો કે આમ ચૈત્યવન્દન જુદા જુદા જીવોની અપેક્ષાએ વિના વિલંબે ફળપ્રદ બનવાથી લઈ વિપરીતફળક બનવા સુધીની બધી શક્યતાઓ ધરાવે છે. માટે યોગ્ય જીવોને જ એનાં સૂત્રોનું પ્રદાન કરવું પણ વિપરીતફળપ્રાપ્તિસ્વરૂપનકશાનથી બચાવવા અયોગ્યજીવોને આ સૂત્રપ્રદાન ન કરવું. આમ ટૂંકમાં, મૂળકારે સ્થાનાદિયત્ન હોય તો શ્રેયસ્કરને ન હોય તો દોષકર. આટલું જ જણાવ્યું છે, વિષાદિઅનુષ્ઠાનની અપેક્ષાએ કશું જણાવ્યું નથી, માટે વૃત્તિકારે પણ વિષાદિ અનુષ્ઠાનની અપેક્ષાએ સંબંધ ન જોડતાં સ્થાનાદિયત્નની અપેક્ષાએ જ સંબંધ દર્શાવ્યો છે. મૂળકારે સ્થાનાદિયત્નની અપેક્ષાએ વિચારણા કરી તો વિષાદિઅનુષ્ઠાનની અપેક્ષાએ વિચારણા કેમ ન કરી? એ પણ હવે વિચારી લઈએ. જેઓને કોઈ ભૌતિક અપેક્ષા નથી એવા જીવોને તો ચૈત્યવન્દન લાભક્ત જ છે. જેઓને ભૌતિક અપેક્ષા છે એવા જીવો બે પ્રકારના છે. બાધ્યફળાપેક્ષાવાળા અને અબાધ્યફળાપેક્ષાવાળા. એમાંથી બાધ્યફળાપેક્ષાવાળા જીવોને પણ તદ્ધઅનુષ્ઠાન શક્ય હોવાથી લાભ (નિરૂપણ સ્થાનાદિની અપેક્ષાએ (163) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy