________________
સંભવિત છે, અબાધ્યફળાપેક્ષાવાળાને વિષ-ગર હોવાથી નુકશાન છે. પણ છદ્મસ્થગુરુ સામા જીવની કળાપેક્ષા બાધ્ય છે કે અબાધ્ય ? એનો નિર્ણય સામાન્ય રીતે કરી શક્તા નથી. એટલે એના આધારે એ સૂત્રપ્રદાનને યોગ્ય છે કે અયોગ્ય ? એ નિર્ણય પણ શક્ય બની શકતો નથી. માટે ગ્રન્થકારે એના આધારે નિરૂપણ કર્યું નથી. માત્ર, જેમ સ્થાનાદિયત્નાભાવવાળાને ચૈત્યવન્દન મહાદોષરૂપ છે, એમ વિષાદિઅનુષ્ઠાનવાળાને પણ એ મહાદોષરૂપ છે આ સામ્ય હોવાથી વૃત્તિકારે સપ્રસંગ વિષાદિઅનુષ્ઠાનની અપેક્ષાએ વિચારણા કરી છે એ જાણવું. ॥ ૧૨।।
के एतद्विन्यासानुरूपा इत्याकाङ्गायामाह -
અવતરણિકાર્થ : ચૈત્યવન્દન સૂત્રના પ્રદાનરૂપ વિન્યાસને યોગ્ય કોણ છે ? એવી આકાંક્ષાને સંતોષવા ગ્રન્થકાર કહે છે
जे देसविरइजुत्ता जम्हा इह वोसिरामि कायंति । सुच्चइ विरईए इमं ता सम्मं चिंतियव्वमिणं ॥ १३॥
——
ગાથાર્થ : જેઓ દેશવિરતિથી યુક્ત છે (તેવા જીવોને સૂત્રપ્રદાન માટે યોગ્ય જાણવા.) (શા માટે ?) કારણકે અહીં (=ચૈત્યવન્દનમાં) ‘કાયાને વોસિરાવું છું’ એ પ્રમાણે સંભળાય છે. (અને એ) વિરતિ હોય તો જ શક્ય છે. માટે આ વાતનું સમ્યક્ ચિન્તન કરવું.
जे इत्यादि । ये देशविरतियुक्ताः पञ्चमगुणस्थानपरिणतिमन्तः ते इह अनुरूपा इति शेषः । कुत: ? इत्याह- 'यस्मात् 'इह' चैत्यवन्दनसूत्रे 'व्युत्सृजामि कायम्' इति श्रूयते, इदञ्च विरतौ सत्यां सम्भवति, तदभावे कायव्युत्सर्गासम्भवात्, तस्य गुप्तिरूपविरतिમેવાત્।
=
Jain Education International
વૃત્તિઅર્થ : જેઓ દેશવિરતિયુક્ત છે અર્થાત્ પાંચમા ગુણઠાણાની પરિણતિવાળા છે તેઓ અહીં સૂત્રપ્રદાનને યોગ્ય જાણવા. (આટલો અંશ શેષ જાણવો... અર્થાત્ મૂળમાં નથી, અર્થ પૂર્ણ કરવા અધ્યાહારથી ઉમેરવો.) શા માટે ? *(એટલા માટે કે) અહીં ચૈત્યવન્દન સૂત્રમાં ‘કાયાને વોસિરાવું છું’ એમ સંભળાય છે. આ વાત વિરતિની હાજરીમાં જ સંભવે છે. કારણકે વિરતિના અભાવમાં કાયાનો વ્યુત્સર્ગ અસંભવિત છે. તે પણ એટલા માટેકે તે = કાયાનો વ્યુત્સર્ગ ગુપ્તિરૂપ વિરતિનો
164
યોગવિંશિકા..૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org