SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાર છે. વિવેચન : (૧) પાંચમા ગુણઠાણાની પરિણતિવાળા જીવો જ સૂત્રપ્રદાનને યોગ્ય છે આવું જે કહ્યું એનું કારણ દર્શાવવા માટે આ અધિકાર છે. અહીં ‘પરિણતિ’ શબ્દ વાપર્યો છે એનાથી એ નિશ્ચિત થાય છે કે વ્યવહારથી અણુવ્રતો સ્વીકાર્યા હોય પણ અંદર તદ્દનુરૂપ પરિણતિ-દેશવિરતિપરિણામ-જાગ્યો ન હોય તો એવા જીવો પણ અધિકારી નથી. - ચૈત્યવન્દનસૂત્રમાં તાવ વાય ટાળેળ મોમેળ જ્ઞાળે અપ્પાાં વોસિરામિ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરવાની આવે છે. પ્રતિજ્ઞાનો અધિકારી તે જ છે જે પ્રતિજ્ઞાનું યથાર્થ પાલન કરી શકે. પ્રતિજ્ઞાના પાલનમાં બે અંશો છે. પ્રતિજ્ઞાથી ત્યાજ્ય પ્રવૃત્તિનો આચરણમાં ત્યાગ એ પ્રતિજ્ઞાનું બાહ્ય પાલન છે – વ્યવહારથી પાલન છે. એ ત્યાજ્ય પ્રવૃત્તિની કે એના કારણભૂત પ્રમાદાકિની વૃત્તિ જીવમાં અનાદિકાળથી ઘડાયેલી હોય છે. આ વૃત્તિ ખસે ને એના સ્થાને એ પ્રવૃત્તિના ત્યાગની અને એ ત્યાગના કારણભૂત અપ્રમાદ વગેરેની વૃત્તિ કેળવાય... કેળવાયેલી આ વૃત્તિ એ વિરતિની પરિણતિ છે, એ પ્રતિજ્ઞાનું આંતરિક પાલન છે - નિશ્ચયથી પાલન છે. ક્યારેક કારણવશાત્ આચરણમાં ત્યાજ્ય પ્રવૃત્તિ કરવી પડે તો પણ આંતરિક પરિણતિ અક્ષત હોય તો વિરતિનું પાલન અક્ષત જ કહેવાય છે. જેમકે સાધુને સકારણ નદી ઉતરવામાં ાં પાયં નતેનિન્દ્રા વગેરે જયણારૂપ અપ્રમાદ પણ હોય તો હિંસાની વિરતિ (અને સર્વવિરતિ) અક્ષત રહે છે. એટલે પ્રતિજ્ઞાપાલન માટે મુખ્યતયા પરિણતિ જોવામાં આવે છે. કાયાને વોસિરાવવાની પ્રતિજ્ઞા પણ એક પ્રકારની પ્રતિજ્ઞા તો છે જ. તેથી એનું પાલન વિરતિની = વિરતિપરિણામની વિદ્યમાનતામાં જ સંભવે છે. તે પણ એટલા માટે કે ‘કાયાનો વ્યુત્સર્ગ’ – કાયાને વોસિરાવવી’ એ કાંઇ અહીં કાયા નો સર્વથા ત્યાગ કરી દેવો એવા અર્થમાં નથી. પણ શ્વાસોશ્વાસ વગેરે આગારરૂપ કેટલીક પ્રવૃત્તિઓ છોડીને શેષ સઘળી પ્રવૃત્તિઓ રૂપ કાયવ્યાપારનો ચોક્કસ અવધિ સુધી ત્યાગ કરવા રૂપ છે. આ કાયગુપ્તિ છે. (અન્નત્ય સૂત્ર દ્વારા પ્રતિજ્ઞાત મૌન અને ધ્યાન પણ આ કાયગુપ્તિમાં જ સમાવિષ્ટ થઈ જાય એવો વ્યાપક અર્થ લેવો.) આ પણ એક પ્રકારની વિરતિ જ છે. એટલે વિરતિ પરિણામ જેને પ્રગટ થયો નથી એવા જીવો આવી પ્રતિજ્ઞાના વાસ્તવિક અધિકારી નથી. વિરતિધર અધિકારી Jain Education International For Private & Personal Use Only 165 www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy