SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ न च स्वयं मृतमारितयोरविशेषः, किन्तु विशेष एव, स्वयं मृते स्वदुष्टाशयस्यानिमित्तत्वात् मारिते च मार्यमाणकर्मविपाकसमुपनिपातेऽपि स्वदुष्टाशयस्य निमित्तत्वात्, तद्वदिह स्वयमक्रियाप्रवृत्तं जीवमपेक्ष्य गुरोर्न दूषणम्, तदीयाविधिप्ररूपणमवलम्ब्य श्रोतुरविधिप्रवृत्तौ च तस्योन्मार्गप्रवर्तनपरिणामादवश्यं महादूषणमेव, तथा च श्रुतकेवलिनो वचनम् जह सरणमुवगयाणं जीवाण सिरो निकिंतए जो उ। एवं आयरियो वि हु उस्सुत्तं पण्णवेतो य॥ વૃત્તિ અર્થઃ સ્વયં મૃત અને મારિતમાં અવિશેષ નથી, પણ વિશેષ ( તફાવત) જ છે. (કોઈ) સ્વયં મરી જાય એમાં પોતાનો દુખાશય નિમિત્ત બનતો નથી, જ્યારે કોઈને) મારવામાં આવે તો તો મરનારજીવના કર્મનો વિપાક હોવા છતાં (મારનારનો) પોતાનો દુષ્ટઆશય એમાં નિમિત્ત બન્યો હોય છે. એમ અહીં સ્વયં અક્રિયામાં પ્રવૃત્ત થતા જીવની અપેક્ષાએ ગુરુને કોઇ દોષ લાગતો નથી. પણ ગુરુની અવિધિની પ્રરૂપણાનું આલંબન લઇને શ્રોતા અવિધિમાં પ્રવૃત્ત થાય તો તેનો (ગુરુનો) ઉન્માર્ગ પ્રવર્તાવવાનો પરિણામ હોવાથી અવશ્ય મહાદોષ લાગે જ છે. આ જ વાતને જણાવતું શ્રુતકેવલીનું વચન આવું છે - શરણે આવેલા જીવોના મસ્તકને જે છેદે છે (એ જેવું ક્રૂર-નિર્દય કાર્ય કરી રહ્યો છે, એવું જ) ઉસૂત્રની પ્રરૂપણા કરતાં આચાર્ય પણ કરી રહ્યા છે. વિવેચનઃ હત્યા થવાથી મરે કે એ વિનામરે... મરનારનો તથાવિધકર્મવિપાક તો એમાં ભાગ ભજવે જ છે. તેમ છતાં, હત્યા દ્વારા થતા મૃત્યુમાં હત્યારાનો દુષ્ટઆશય પણ કારણ બન્યો હોય છે જે સ્વયં મરનારના મૃત્યુમાં કારણ તરીકે હોતો નથી. એટલે મૃત અને મારિતમાં આ તફાવત સ્પષ્ટ છે. એમ જીવો પ્રમાદતત્પરતાના કારણે સ્વયં અવિધિમાં પ્રવૃત્ત થાય એમાં ગુરુનો કોઈ અશુભ આશય નિમિત્ત બનતો ન હોવાથી ગુરુને દોષ લાગતો નથી. પણ જીવો અનાદિકાળથી પ્રમાદતત્પર છે આ વાસ્તવિક્તાને જાણવા છતાં, ગુરૂ કિયાના ઉપદેશકાળે (“અવિધિ કરો” એવો સ્પષ્ટ શબ્દોમાં અવિધિનો ઉપદેશ આપતાં ન હોવા છતાં) જો અવિધિનો નિષેધ ન કરે અથવા કશું જ ન કરવું એના કરતાં તો ઓછું વજું પણ કરવું સારું....' વગેરે રૂપે ગર્ભિતરીતે અવિધિનું સમર્થન કરે... તો ગુરુને દોષ લાગે જ છે, કારણકે આવા (182) યોગવિંશિકા....૧૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy