SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકતું નથી. વળી, સ્થાનાદિને નહીં જાળવવા રૂ૫ અશુદ્ધિવાળી ક્રિયાને નિષ્ફળ વગેરે કહી તમે એનોતો સ્વીકાર કરતા નથી. માનુશ્રોતસિવૃત્તિતાના સુવરણીનતા... સુખશીલતા એ જીવોની આનુશ્રોતસિક વૃતિ છે. ક્રિયા કરવામાં કંઈક ને કંઈક પણ કાયક હોય છે જેને ટાળવા માટે જીવો તત્પર જ હોય છે. એટલે, શુદ્ધ કિયાનો જ આગ્રહ સેવવામાં જીવોને બહાનું મળી જશે કે શુદ્ધ અમે કરી શકતા નથી, અને અશુદ્ધ કરવાની તમેના પાડો છો... તો જાવ.. અમારે તો ક્યાં કશુંય કરવું જ છે. બસ... અમે કશું નહીં કરીએ...' આ રીતે અયિાપરિણામ જ આવી પડશે. અને તેથી જિનોક્તકિયાઓનું નામ-નિશાન પણ નહીં રહે. એના બદલે તમે વિધિનો આગ્રહન રાખો... માત્ર યિા કરવાનો ઉપદેશ આપો... તો જેણે જેમ કિયા કરવી હશે તેમ ભલે કરે.. પણ આ રીતે પણ જિનોક્ત ક્યિા કરનારાઓ તો ઊભા રહેશે. અને જેને નજરમાં રાખીને ‘આ તીર્થ છે” (‘આ સંઘ છે') એવો વ્યવહાર કરી શકાય એવો જૈન (જિનોક્ત) ક્રિયા વિશિષ્ટ જનસમુદાય તો ઊભો રહેશે. પ્રશ્ન: પણ તો પછી અવિધિથી ક્રિયા કરવાથી નિષ્ફળતાકે વિપરીતફલકતા રૂપ દોષ જે લાગશે તેનું શું? (૨) (શંકાકાર દ્વારા અપાતો) ઉત્તર : કર્તા અવિધિ કરે એનાથી ઉપદેશક ગુરુને કોઈ દોષ નથી. આશય એ છે કે ગુરુ કાંઇ સામા જીવને અવિધિ કરવાનું કહેતા નથી. માત્ર, વિધિનો આગ્રહ સેવવામાં સામો જીવ કશું કરશે નહીં, આ સંભાવનાને નજરમાં રાખી ક્રિયાનો ઉપદેશ આપે છે (જેમકે તમારે ચૈત્યવન્દન કરવું જોઇએ.) અને વિધિનું આગ્રહરહિતપણે માર્ગદર્શન આપે છે. (જેમકે ચૈત્યવન્દન આ રીતે કરવું જોઇએ.) આ સાંભળીને શ્રોતા સ્વયં વિચારે છે કે આ બધી વિધિ તો હું પાળી શકું એમ નથી, પણ જેટલું - જેવું મારાથી થાય એટલે એવું કરું. એટલે એ ચેત્યવન્દનાદિ યથાકથંચિત્ જે કરશે તે તો પોતાના જ તેના પરિણામને કારણે કરે છે, નહીં કે ગુરુએ યથાકથંચિત્ કરવાનું કહ્યું હોવાના કારણે. ટૂંકમાં, એ ચૈત્યવન્દનાદિ ક્યિામાં જે પ્રવૃત્ત થાય છે એ ગુરુનો ઉપદેશ મળવાથી... અને એમાં અવિધિ વગેરે જે ભેળવે છે તે પોતાના તેવા પરિણામના કારણે. એટલે ગુરુએ તો તીર્થનો વ્યવહાર ઊભો રહે એવી જ્યિા જ પ્રવર્તાવી હોવાથી, તેઓને માત્ર લાભ જ થાય છે, કોઇ દોષ લાગતો નથી. પૂર્વપક્ષીની આવી શંકાનું સમાધાન આપવા કહે છેમૃત-મારિતમાં ભેદ છે (181) 181 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy