________________
सो एसति । स एष = सूत्रक्रियाविनाश: वक्र एव = तीर्थोच्छेदपर्यवसायितया दुरन्तदुःखफल एव ।
અવતરણિકાર્થ : સૂત્રક્રિયાવિનાશ કેટલો અહિતાવહ છે તેને સ્પષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ : તે આ (=સૂત્રક્રિયાવિનાશ) વર્ક જ છે. સ્વયં મૃત અને (કોઇથી) મારિતમાં અવિશેષ (=સમાનતા) નથી. આ વાતને પણ તીર્થોચ્છેદભીરુઓએ ભાવવી
જોઇએ.
વૃત્તિઅર્થ : તે આ સૂત્રક્રિયાનો વિનાશ વક્ર જ છે, અર્થાત્ એ તીર્થોચ્છેદમાં પરિણમતો હોવાથી દુરન્ત દુઃખ આપનાર જ છે. જે તીર્થોચ્છેદનું નિમિત્ત બને એનાથી ગાઢ મિથ્યાત્વ બંધાય છે જેના કારણે અપરિમિત સંસારનું ઉપાર્જન થાય છે. માટે એ દુરન્તદુઃખ આપનાર હોય જ એ સ્પષ્ટ છે.
'ननु शुद्धक्रियाया एव पक्षपाते क्रियमाणे शुद्धायास्तस्या अलाभाद् अशुद्धायाश्चानङ्गीकाराद् आनुश्रोतसिक्या वृत्त्याऽक्रियापरिणामस्य स्वत उपनिपातात्तीर्थोच्छेदः स्यादेव, यथाकथञ्चिदनुष्ठानावलम्बने च जैनक्रियाविशिष्टजनसमुदायरूपं तीर्थं न व्यवच्छिद्यते। `न च कर्तुरविधिक्रियया गुरोरुपदेशकस्य कश्चिद्दोषः, अक्रियाकर्तुस्तस्य स्वपरिणामाधीनप्रवृत्तिकत्वात्, केवलं क्रियाप्रवर्तनेन गुरोस्तीर्थव्यवहाररक्षणाद् गुण एव
इत्याशङ्कायामाह -
વૃત્તિઅર્થ : 'શંકા – શુદ્ઘક્રિયાનો જ પક્ષપાત કરવામાં, શુદ્ધક્રિયાનો લાભ ન હોવાથી અને અશુદ્ધક્રિયાનો અસ્વીકાર હોવાથી, આનુશ્રોતસિકી વૃત્તિથી અક્રિયાપરિણામ જ સ્વતઃ આવી પડવાના કારણે તીર્થોચ્છેદ થશે જ. જ્યારે યથાર્થંચિદ્ (ગમે તે રીતે કરાતા) અનુષ્ઠાનને પણ સ્વીકારવામાં આવે તો જૈનક્રિયાવિશિષ્ટ જનસમુદાયરૂપ તીર્થ વિચ્છેદ પામતું નથી. કર્તાની અવિધિક્રિયાથી ઉપદેશક ગુરુને કોઇ દોષ લાગતો નથી, કારણકે તે અક્રિયાકર્તા સ્વ પરિણામને આધીન પ્રવૃત્તિ કરનારો હોય છે. ગુરુને તો ક્રિયા પ્રવર્તાવવા દ્વારા તીર્થ વ્યવહારની રક્ષા થતી હોવાથી માત્ર લાભ જ છે.
180
વિવેચન : (૧) (શંકા) - શુદ્ધક્રિયા તો ખૂબ દુષ્કર છે. એટલે એ તો કોઇ
યોગવિંશિકા ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org