________________
માર્ગ કરે છે... ’ (પણ આવી નિંદા કરવી) એ યોગ્ય નથી. કારણકે સંઘ જ્ઞાનાકિગુણોના સમુદાય સ્વરૂપ છે, અને તેથી એ માર્ગને જ માર્ગરૂપે કરે છે, નહીં કે અમાર્ગને. (માટે એને પશુસંઘ વગેરે જેવો કહેવો એ એની નિંદા છે, દુર્લભબોધિપણાનું કારણ છે.)
એ જ રીતે શ્રી દેવસૂરિ વિરચિત જીવાનુશાસનમાં શ્રી સંઘની નિન્દા કરનારને શ્રી સંઘનો પ્રત્યનીક = શત્રુ કહ્યો છે. ત્યાં જણાવ્યું છે કે – ‘“અમારી માન્યતાવાળા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય જ સંઘ છે, એ જ પૂજનીય છે. અમારા કરતાં ભિન્ન માન્યતાવાળા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય કાંઇ સંઘ નથી, કારણકે એમાં સંઘનાં લક્ષણનો અભાવ છે. એ બધા તો શિયાળ-કોલક વગેરે પશુસંઘ જેવા છે, એમના કાંઇ વંદન-બહુમાન વગેરે કરવાના હોય નહીં ’ આવું છદ્મસ્થો કહી રાકે નહીં, કારણકે જ્ઞાનીઓ આંતરિક પરિણામને મુખ્ય કરનારા છે. છદ્મસ્થ ‘“આના પરિણામ સાચા છે, આના ખોટા’ એવો નિર્ણય કરી શકે નહીં. છતાં કોઇ છદ્મસ્થ જો આ રીતે સાધુ વગેરે ચતુર્વિધ સંઘને (માત્ર માન્યતાભેદને કારણે) પશુસંઘ તુલ્ય કહે તો, એ સંઘનો નિંક છે, પ્રત્યનીક છે.
શ્રી સ્થાનાંગસૂત્રના અધિકાર પર વિચાર કરીએ તો જણાય છે કે જેઓમાં જ્ઞાનાદિ ગુણો રહ્યા છે, તેવો સમુદાય (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) એ સંઘ છે અને એ સંઘ માર્ગને જ માર્ગરૂપે કરતો હોય છે, અમાર્ગને નહીં. અર્થાત્ એણે જે કર્યું હોય તે માર્ગરૂપ જ હોય છે, અમાર્ગરૂપ નહીં. વળી સંઘે કરેલા જે આચરણને ગ્રન્થકાર માર્ગ તરીકે જ સ્થાપે છે એને નિન્દક સ્વબુદ્ધિથી અમાર્ગરૂપે દેખે છે, અમાર્ગ તરીકે જાહેર કરે છે અને તેથી શ્રીસંઘને પશુસંઘ તરીકે ઓળખાવે છે, જેનો ગ્રન્થકાર નિષેધ કરે છે. એટલે વર્તમાનમાં પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના સમુદાયરૂપ શ્રી સંઘ શાસ્ત્રસાપેક્ષ જે આચરણ કરે છે તે, પોતે પોતાની (કઠાગ્રહગર્ભિત) બુદ્ધિથી શાસ્ત્રપંક્તિઓના જેવા અર્થ કરે છે તેને અનુરૂપ ન હોવા માત્રથી એ આચરણને શાસ્ત્રવિરુદ્ધ કહી - અમાર્ગરૂપ કહી શ્રીસંઘને પશુસંઘ-હાડકાંનો માળો વગેરે ગાળો ભાંડવી એ દુર્લભબોધિપણાનું કારણ છે એ સ્પષ્ટ છે.
सूत्रक्रियाविनाशस्यैवाहितावहतां स्पष्टयन्नाह
सो एस वंकओ चिय न य सयमयमारियाणमविसेसो । एयंपि भावियव्वं इह तित्थुच्छेयभीरुहिं ॥ १५ ॥
સૂત્રક્રિયાનાશની અહિતાવહતા
Jain Education International
For Private & Personal Use Only
179
www.jainelibrary.org