________________
તીર્થ બની જાય એવું ન માની શકાય. આજકાલ આવા ઘણા ગુપ અસ્તિત્વમાં આવતા જાય છે. પણ તેઓને જિનવચનો સાથે કશું સનાન-સૂતક હોતું નથી. ઉપરથી ક્યારેક તો જિનાજ્ઞા પ્રત્યે ભારોભાર સૂગ હોય છે. આવો સમુદાય એ “તીર્થ નથી કે ‘સંઘ નથી. પણ હાડકાંનો માળો છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. જેઓ શાસ્ત્રસાપેક્ષ રહી સૂત્રમાં કહેલી યથોચિત ક્લિાઓ કરે છે તેવા સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાઓનો સમુદાય એ વાસ્તવિક તીર્થ છે. એટલે જેઓને સૂત્ર સાથે કશી લેવા દેવા નથી એવો જનસમુદાય ક્રિયાઓ કરશે તો પણ સ્વચ્છંદપણે વિધિની ઐસી તૈસી કરીને કરશે. તેથી સૂત્રક્રિયાનો વિનાશ થવાથીસૂત્રક્રિયાવિશિષ્ટ સમુદાય પણ નટકવાથી પરમાર્થથી તીર્થનો પણ વિનાશ જ થાય છે, પછી ભલે ક્યિાવિશિષ્ટ સમુદાય ઊભો હોય. આમ તીર્થોચ્છેદ ન થઈ જાય એવો લાભ ઇચ્છીને અવિધિનું વ્યવસ્થાપન કરનારને એ જ તીર્થોચ્છેદ થઈ જવા રૂપ મૂળક્ષતિ તો આવીને ઊભી જ રહી. માટે આવા બહાના હેઠળ પણ અવિધિ અનુષ્ઠાનને કર્તવ્ય માની ન શકાય.
અહીં જનસમુદાયને હાડકાંના માળા જેવો કહ્યો એ પ્રસંગે કેટલીક આવશ્યક વાતો વિચારી લઇએ, જેથી શ્રી સંઘને હાડકાંનો માળો કહીને કેટલાક જીવો દુર્લભબોધિ બની રહ્યા છે તે અટકે.
શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે – પંëિ સાહિં નવા ૯૪હનમિત્તા મેં પતિ... જીવો પાંચ કારણોએ કુર્લભબોધિપણાંનું કર્મ બાંધે છે. આમાં ચોથું કારણ બતાવનાર સૂત્ર અને તેની વૃત્તિ નીચે મુજબ છે
चाउवन्नस्स समणसंघस्स अवन्नं वयमाणे। (वृत्तिः) तथा चत्वारो वर्णाः श्रमणादयो यस्मिन् स तथा, स एव स्वार्थिकाविधानाच्चातुर्वर्णः, तस्य सङ्घस्यावर्णं वदन् यथा, 'कोऽयं सङ्घः? यः समवायबलेन पशुसङ्घ इवामार्ग मार्गीकरोति' न चैतत्साधु, ज्ञानादिगुणसमुदायात्मकत्वात्तस्य, तेन च मार्गस्यैव मार्गीकरणादिति।
| (સૂત્રાર્થ ) ચાતુર્વર્ણ શ્રી શ્રમણ સંઘનો અવર્ણવાદ બોલતો (જીવ દુર્લભબોધિપણાનું કર્મ બાંધે છે.) (વૃત્તિઅર્થ :) તથા, શ્રમણ વગેરે ચાર વર્ણ છે જેમાં એ (ચતુર્વર્ણ). એને જ સ્વાર્ષિક અણુ પ્રત્યય લાગવાથી ‘ચાતુર્વર્ણ એવો શબ્દ બન્યો છે. આવા ચાતુર્વર્ણ સંઘની નિંદા કરતો (જીવ દુર્લભબોધિપણું ઉપાર્જે છે. જેમકે, ‘આને સંઘ શું કહેશો ? જે સમુદાયના બળે પશુસંઘની જેમ માર્ગને (178)
(યોગવિંશિકા...૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org