________________
ઉપદેશશ્રવણથી શ્રોતાની જે અવિધિમાં પ્રવૃત્તિ થાય છે એમાં ગુરુનો આશય નિમિત્ત બને જ છે. આ જ વાતના સમર્થનમાં ગદ ... ગાથા બતાવી છે. શ્રોતા ગુરુના શરણે આવેલો જીવ છે. અવિધિથી અહિત થાય છે એવું જાણવા છતાં ગુરુશ્રોતાને એ વાત જણાવે નહીં... ને એના દ્વારા એને વિધિતત્પર ન બનાવે... ઉપરથી, શ્રોતાના દિલમાં – અવિધિ પણ કરી શકાય એવી પ્રતીતિ ઊભી થાય એ રીતે ઉપદેશ આપે તો શરણાગતના શિરચ્છેદ જેવું જ આ કાર્ય છે.
ગોચરીના અવસરે એક મહાત્માએ બીજાને કહ્યું - ચાલો, ગોચરી જઇએ. બીજાએ ના પાડી. કિમ?” “મારે પચ્ચકખાણ છે...' પાછા એ ગોચરી વાપરવા તો આવ્યા જ. પેલા મહાત્મા પૂછે છે કે, કમ તમારે તો પચ્ચકખાણ હતું ને?' એટલે આ મહાત્મા જવાબ આપે છે કે.. કેમ? મારે હિંસાનું પચ્ચકખાણ નથી? એ હિસાબે મેં કહેલું...' હિંસાનું પચ્ચકખાણ હોવા છતાં અહીં મૃષાવાદનો દોષ બતાવ્યો છે, કારણકે શ્રોતાને પચ્ચખાણ તરીકે ઉપવાસના જ પચ્ચકખાણની પ્રતીતિ સંભવિત છે, જે ઉપવાસનું પચ્ચકખાણ વક્તાને છે નહીં.
આના પરથી સૂચિત થાય છે કે સરેરાશ શ્રોતાને શું પ્રતીત થવાની સંભાવના છે એના પરથી જ મૃષા-અમૃષાનો નિર્ણય થાય છે, વક્તાનો આડો અવળો અભિપ્રાય અકિંચિકર છે. એટલે પ્રસ્તુતમાં, ગુરુ જાણે છે કે સરેરાશ શ્રોતાને આવા ઉપદેશથી અવિધિમાં જ પ્રવૃત્ત થવાની પ્રેરણા મળશે, તો એ સાક્ષાત્ અવિધિના ઉપદેશરૂપ ન હોવા છતાંફળતઃ અવિધિના ઉપદેશરૂપ જ છે, ને તેથી શરણાગતશિરચ્છેદતુલ્ય દોષ
છે જ.
न केवलमविधिप्ररूपणे दोषः, किन्त्वविधिप्ररूपणाभोगेऽविधिनिषेधासम्भवात् तदाशंसनानुमोदनापत्तेः फलतस्तत्प्रवर्तकत्वाद् दोष एव। तस्मात् ‘स्वयमेतेऽविधिप्रवृत्ताः, नात्रास्माकं दोषः, वयं हि क्रियामेवोपदिशामो न त्वविधिम्' एतावन्मात्रमपुष्टालम्बनमवलम्ब्य नोदासितव्यं परहितनिरतेन धर्माचार्येण, किन्तु सर्वोद्यमेनाविधिनिषेधेन विधावेव श्रोतारः प्रवर्तनीयाः, एवं हि ते मार्गे प्रवेशिताः, अन्यथा तून्मार्गप्रवेशनेन नाशिताः।
વૃત્તિઅર્થ અવિધિની પ્રરૂપણા કરવામાં જ દોષ લાગે એવું નથી, અવિધિની પ્રરૂપણા કરવાનો અભિપ્રાય (માત્ર) હોય તો પણ એ વખતે અવિધિનો નિષેધ (ફળતઃ અવિધિ પ્રરૂપણા
(183)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org