________________
અસંભવિત બની જવાથી અવિધિની આશંસારૂપ અનુમોદના લાગવાની આપત્તિ આવતી હોવાથી ફળતઃ અવિધિની પ્રવર્તતા આવે જ છે ને તેથી દોષ લાગે જ છે. તેથી આ બધા સ્વયં અવિધિમાં પ્રવર્યા છે, આમાં અમારો કોઈ દોષ નથી. અમે તો ક્રિયાનો જ ઉપદેશ આપીએ છીએ, નહીં કે અવિધિનો...' આવા અપુષ્ટઆલંબનનું અવલંબન કરી પરહિતનિરત ધર્માચાર્ય (અવિધિના નિષેધમાં) ઉદાસીન ન બનવું જોઇએ, પણ સર્વ પ્રયત્નપૂર્વક અવિધિનો નિષેધ કરીને વિધિમાં જ શ્રોતાઓને પ્રવર્તાવવા જોઇએ. આ જ રીતે તેઓનો માર્ગમાં પ્રવેશ થાય છે, અન્યથા તો ઉન્માર્ગમાં પ્રવેશ કરાવવા દ્વારા તેઓનો નાશ જ થાય છે.
વિવેચનઃ (૧) વિધિની પ્રધાનતાનદર્શાવનારા જે વચનોથી, સરેરાશ શ્રોતાને અવિધિવાળા અનુષ્ઠાનની પ્રેરણા મળશે એવા ઉપદેશવચનોમાં (સ્વરૂપતઃ અવિધિની ઉપેક્ષાનો અભિપ્રાય રહ્યો હોય તો પણ) ફળતઃ અવિધિની પ્રરૂપણાનો જ અભિપ્રાય રહ્યો છે, એ આગળ આવી ગયું, (પછી ભલે ને ઉપરછલ્લો મારો કાંઈ અવિધિની પ્રરૂપણા કરવાનો અભિપ્રાય નહોતો એવો બચાવ મનમાં હોય.) આવો *અવિધિની પ્રરૂપણા કરવા વગેરેનો અભિપ્રાય હોય એટલે એનો નિષેધ કરવાની તો કોઈ શક્યતા જ રહેતી નથી. એટલે “ન નિષિદ્ધ મનુમતમ્” ન્યાયે ‘ભલે અવિધિ થતી એવી ઇચ્છારૂપ અનુમોદના ભળેલી જ રહે છે. એટલે ‘કરણ-કરાવણ-અનુમોદન... સરખા ફળ નીપજાવે...' ન્યાયે, કરાવણનું ( પ્રવર્તકત્વનું) જે ફળ મળવાનું હતું તે ફળ તો (અનુમોદના દ્વારા) મળી જ જતું હોવાથી ફળતઃ પ્રવર્તકત્વ છે જ. અથવા વિવેચનમાં પૂર્વે આવી ગયું તેમ, આ સાક્ષાત્ અવિધિના ઉપદેશરૂપ ન હોવા છતાં ફળતઃ તેવું છે જ, માટે ફળતઃ પ્રવર્તત્વ છે જ. [આશય એ છે કે તમે અવિધિ કરો આવા ઉપદેશનું ફળ જેમ શ્રોતાઓ અવિધિમાં પ્રવૃત્ત થાય એ છે, અને તેથી એ વચન અવિધિનું પ્રવર્તક કહેવાય છે એમ, સાક્ષાત્ અવિધિના અપ્રદર્શક એવા પણ અધિકૃત ગુરુવચનના ફળરૂપે (પરિણામે) શ્રોતા અવિધિમાં પ્રવર્તવાનો જ છે, માટે એમાં ફળતઃ અવિધિનું પ્રવર્તકત્વ છે.]
(૨) આમ અવિધિનો પ્રયત્નપૂર્વક નિષેધનકરવામાં આવે તો ગુરુ દોષપાત્ર બને જ છે, માટે “અવિધિમાં તો આ બધા સ્વયં પ્રવર્તે છે, એમાં અમારો કોઈ દોષ *અન્ય વિવેચનકારે ટીકાર્યમાં વિધિપ્રરૂપણાના આભોગમાં પણ... 'તથા વિવેચનમાં ... અને વિધિની પ્રરૂપણાના ઉપયોગવાળાં હોય તો પણ....'આવો અર્થ શા માટે ક્યું છે તે સમજાય એવું નથી.
યોગવિંશિકા.....૧૫
184
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org