________________
નથી. અમે તો ક્રિયાની જ પ્રેરણા કરીએ છીએ, અવિધિની નહીં...' આવો લૂલોપાંગળો બચાવ કરી અવિધિનાનિષેધમાં ઉદાસીનતા સેવવી એ પરહિતતત્પરધર્માચાર્ય માટે યોગ્ય નથી. જેમ, માનવભવ-પ્રભુશાસન પામ્યા પછી પણ યોગ્યજીવો ધર્માનુષ્ઠાનોને આદરે નહીં ને પ્રમાદતત્પર રહેતા હોય તો એની પ્રમાદિતત્પરતાને ખંખેરવામાં ધર્માચાર્ય પોતાનો પૂરો પ્રયત્ન કરે છે, પણ ઉદાસીનતા દાખવતા નથી. કારણકે એવી ઉદાસીનતા દાખવવામાં એમનું પરહિતનિરતત્વ (બીજાનું હિત કરવામાં સદા રત રહેવાપણાનું) સ્વરૂપ જ ઊભું ન રહી શકે, એમ યોગ્ય શ્રોતાઓની અવિધિતત્પરતાને ખંખેરવામાં પણ ધર્માચાર્યે ઉદ્યમશીલ બનવું જ જોઇએ, તો જ એમનું પરહિતનિરતત્વ સ્વરૂપ જળવાઇ રહે.
(૩) અહીં સર્વઉદ્યમ તરીકે અનુષ્ઠાનમાં અવિધિ શી શી રીતે પેસે છે? એનાં શું શું નુકશાન થાય? એને શી રીતે ટાળી શકાય? વિધિ શી શી જાળવવાની હોય? એ શી રીતે જાળવી શકાય? એના શું શું લાભ? વગેરેની વારંવાર સમજાવટ વગેરે લેવું. જેથી એના દિલમાં અવિધિની ત્યાજ્યતાનો ને વિધિની જાળવણીનો જડબેસલાક પક્ષપાત ઊભો થઈ જાય. વિધિયુક્ત ક્રિયા એ માર્ગ છે... ને જીવોને આ રીતે જ આ માર્ગમાં પ્રવેશાવી શકાય છે. આમાં જો ઉપેક્ષા સેવી તો અવિધિયુક્ત ક્રિયા કે જે ઉન્માર્ગ છે એમાં જ શ્રોતા પ્રવેશી જાય ને તેથી આત્મહિતથી ક્યાંય ના ક્યાંય દૂર ફેંકાઈ જવારૂપ એનો નાશ થઈ જ જાય.
___ 'एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभीरुभिः, विधिव्यवस्थापनेनैव ह्येकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्ज्वात्मकलोकेऽमारिपटहवादनात्तीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेद एवेति।
વૃત્તિઅર્થ: 'તીર્થોચ્છેદભીરુ જીવોએ આ પણ વિચારવું જોઇએ કે વિધિવ્યવસ્થાપનથી જ એક પણ જીવને સમ્યગુ બોધિલાભ થવા પર ચૌદરાજલોકમાં અમારી પડહ વાગવાથી તીર્થોન્નતિ થાય છે. અવિધિની સ્થાપના કરવામાં તો આનાથી ઉલટું થતું હોવાથી તીર્થોચ્છેદ જ છે.
વિવેચનઃ (૧) અવિધિવ્યવસ્થાપન કરવામાં તીર્થોચ્છેદપર્યવસાન હોવાથી દુરન્તફળતા છે, ઉપદેશકને શ્રોતાને ઉન્માર્ગમાં પ્રવેશ કરાવવાનો દોષ છે... આ બે વાતો કહી... વળી તીર્થોચ્છેદભીરુ વિદ્વાનોએ (તીર્થોચ્છેદ થઈ જવાના ભયથી વિધિસ્થાપનથી જ તીર્થોત્રતિ )
(185)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org