________________
અવિધિને ચલાવી લેવાના અભિપ્રાયવાળા અને અવિધિપૂર્ણ અનુષ્ઠાન કરનારા જીવોની વૃદ્ધિ થવામાં તીર્થોન્નતિ માનનારા વિદ્વાનોએ) આ બે વાતો ઉપરાંત આ પણ વિચારવું જોઇએ કે વિધિની સ્થાપના કરવાથી જ તીર્થોન્નતિ થાય છે, અવિધિની સ્થાપના કરવામાં તો તીર્થોચ્છેદ જ થાય છે.
જ
(૨) વિધિની સ્થાપના ભારપૂર્વક કરવાથી શ્રોતાનો માર્ગમાં પ્રવેશ થાય છે એ કહ્યું. માર્ગપ્રવેશ થવાથી અપુનર્બન્ધકવગેરે જીવો ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનના પ્રભાવે
પ્રગતિ સાધી ક્રમશઃ સમ્યક્ત્વ-દેશવિરતિ... સર્વવિરતિ પામે છે. સમ્યક્ત્વ પામવા પર સર્વજીવોને અભયદાન આપવાની રુચિ અને પક્ષપાત ઊભા થાય છે, તેમજ સર્વવિરતિ પામવા પર સર્વજીવોને અભયદાનની ઘોષણા થાય છે. એટલે કહેવાય છે કે એકપણ જીવને સમ્યગ્ બોધિલાભ થવા પર સંપૂર્ણલોકમાં અમારી પડહ વાગે છે. અવધિજ્ઞાની મહર્ષિ શ્રી ધર્મદાસગણી મહારાજે ઉપદેશમાળામાં કહ્યું છે કે –
सयलम्म वि जीवलोए तेण इहं घोसिओ अमाघाओ ।
इक्कंपि जो दुहत्तं सम्मं बोहेइ जिणवयणे ॥
અર્થ : એક પણ દુઃખાતે જીવને જે જિનવચનોનો સમ્યગ્ બોધ આપે છે તે ઉપદેશકે સકળ જીવલોકમાં અમારી ઘોષણા કરાવી છે.
આ જ તો તીર્થોન્નતિ છે, કારણકે તીર્થમાં = શાસનમાં સાધુ-સાધ્વીને અહિંસા મહાવ્રતની રક્ષા માટે બાકીના મહાવ્રતો છે, એમ શ્રાવક-શ્રાવિકાને અહિંસા અણુવ્રત માટે બાકીના અણુવ્રતો છે. અર્થાત્ અહિંસાની પ્રધાનતા છે. એટલે અહિંસામાં વૃદ્ધિ થાય એ જ તીર્થોન્નતિ છે એમ અહીં કહ્યું છે. એની સામે, અવિધિની સ્થાપના કરવામાં યોગ્ય શ્રોતા પણ માર્ગપ્રવેશ પામી શકતો નથી, ઉન્માર્ગપ્રવેશ પામી તીર્થથી ક્યાંય દૂર ફેંકાય જાય છે, તથા ઉપદેશકગુરુને પણ દુરન્તદુઃ ખાત્મક ફળ મળે છે એનો અર્થ તેઓ પણ તીર્થથી દૂર થઈ જાય છે. એટલે તીર્થની હાનિ થઈ જ, જે ક્રમશઃ તીર્થોચ્છેદમાં પરિણમે છે.
'यस्तु श्रोता विधिशास्त्रश्रवणकालेऽपि न संवेगभागी तस्य धर्मश्रावणेऽपि महादोष एव, तथा चोक्तं ग्रन्थकृतैव षोडशके
186
ય: જીવન (જીવવિ) સિદ્ધાન્ત વિષયપિપાસાતિત: પાપ: I प्राप्नोति न संवेगं तदापि यः सोऽचिकित्स्य' इति ॥
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા....૧૫
www.jainelibrary.org