________________
नैवंविधस्य शस्तं मण्डल्युपवेशनप्रदानमपि।
कुर्वनेतद् गुरुरपि तदधिकदोषोऽवगन्तव्यः ।।(षोड. १०/१४/१५) मण्डल्युपवेशनं = "सिद्धान्तदानेऽर्थमण्डल्युपवेशनम्। 'तदधिकदोषः = अयोग्यश्रोतुरधिकदोषः, पापकर्तुरपेक्षया तत्कारयितुर्महादोषत्वात्।
વૃત્તિઅર્થ: જે શ્રોતા વિધિ જણાવનાર શાસ્ત્રના શ્રવણ વખતે પણ સંવેગવાળો ન થાય = વિધિપાલનના મનોરથ-ઉલ્લાસવાળો ન બને, તેને ધર્મ સંભળાવવામાં પણ મોટો દોષ જ લાગે છે. ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જ ષોડશકજી (૧૦/૧૪-૧૫)માં કહ્યું છે કે – સિદ્ધાન્તને સાંભળતી વખતે પણ વિષયપિપાસાના અતિરેકથી જે પાપી શ્રોતા સંવેગ પામતો નથી તે અચિકિત્સ્ય છે એમ જાણવું. આવાજીવને માંડલીમાં બેસવા દેવો એ પણ યોગ્ય નથી. (એવા જીવને પણ) માંડલીમાં બેસવા દેતા ગુરુ પણ તેના કરતાં અધિક દોષ પાત્ર બને છે એ જાણવું. અહીં માંડલીમાં ઉપવેશન જે કહ્યું તે સિદ્ધાન્ત આપવા માટે અર્થમાંડલીમાં ઉપવેશન સમજવું. શ્રોતાને અયોગ્ય જાણવા છતાં ગુરુજો એને અર્થમાંડલીમાં બેસવા દે તો ગુરુને એ શ્રોતા કરતાં પણ અધિક દોષ લાગે છે, કારણકે પાપ કરનારની અપેક્ષાએ તેની પાસે પાપ કરાવનાર જે હોય તે મહાદોષવાળો છે.
વિવેચનઃ (૧) “પ્રયત્નપૂર્વક અવિધિનો નિષેધ કરી વિધિનું વ્યવસ્થાપન કરવું” આવું ગ્રન્થકારે જે જણાવ્યું એના પર કદાચ કોઈ પ્રશ્ન કરે કે “પણ શ્રોતાને વિધિશ્રવણનો કોઇ રસ જ ન હોય – ઉપરથી કંટાળો હોય તો વિધિની સ્થાપના શી રીતે કરવી?” તો આવા પ્રશ્નનો ઉત્તર આપવા હવેનો અધિકાર છે. આ પ્રશ્નનો ઉત્તર આ છે કે આવો શ્રોતા શાસ્ત્રશ્રવણનો અધિકારી જ નથી. માટે એને તો શાસ્ત્ર જ સંભળાવવાનું નથી. પછી વિધિસ્થાપનાનો પ્રશ્ન જ રહેતો નથી.
(૨) ષોડશકજીમાં ‘ય જીવનું' આ બે શબ્દોના સ્થાને “વત્ર’ એવા શબ્દો છે, ને એયોગ્ય છે. કારણકે ઉત્તરાર્ધમાંય છે જ તો પૂર્વાર્ધમાં એ બિનજરૂરી છે.
પુષ્કરાવર્ત મેઘ વરસવા છતાં જે ભીંજાતો નથી એ મગરોલિયો પત્થર છે, એ અયોગ્ય છે... દિલને શુભભાવોથી-સદનુષ્ઠાનના મનોરથોથી... સંવેગ-વૈરાગ્યથી ભીનું ભીનું કરવા માટે જિનવચનો એ પુષ્પરાવર્તમેઘ સમાન છે... એટલે આ વૃષ્ટિ થવા છતાં જેનું દિલ ભીંજાતું નથી એ જીવ અયોગ્ય છે. અસંવેગીને ધર્મ પણ ન સંભળાવાયો
(187
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org