________________
च विशुद्धं व्यवहारं संपादयितुं न शक्नुवन्ति ते बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति। `विधिसम्पादकानां विधिव्यवस्थापकानां च दर्शनमपि प्रत्यूहव्यूहविनाशनमिति વયં નામ: ।। ૬૬।।
વૃત્તિઅર્થ : ગીતાર્થની આજ્ઞાથી નિરપેક્ષ અને વિધિના અભિમાનવાળા જેઓ વર્તમાનવ્યવહારનો ત્યાગ કરે છે અને બીજો વિશુદ્ધ વ્યવહાર સ્થાપિત કરી શક્તા નથી તેઓ બીજમાત્રનો પણ ઉચ્છેદ કરે છે અને તેથી મહાદોષવાળા બને છે. વિધિના સંપાદક અને વિધિના વ્યવસ્થાપક મહાત્માઓનું દર્શન પણ વિઘ્નોના સમુદાયનું નાશક છે એવું અમે કહીએ છીએ.
વિવેચન : (૧) જેઓ સ્વયં ગીતાર્થ નથી, વળી ગીતાર્થની આજ્ઞામાં પણ રહેતા નથી... તેઓ સૂત્રના શબ્દાર્થ માત્રને પકડનારા સૂત્રરુચિ હોય છે. એટલે અવિધિ કરવામાંતો સૂત્રક્રિયાવિનારા દ્વારા તીર્થવિનારા જ છે આટલી વાત પકડીને અવિધિકરણ કરતાં અકરણને સારું માનનારા હોય છે, ને તેથી ‘કરવું તો વિધિપૂર્વક જ કરવું, નહીં કે નહીં કરવું...’ આવું વિધિનું અભિમાન ધરાવનારા હોય છે. વળી, તેઓ પણ પ્રમાદાદિદોષગ્રસ્ત તો હોય જ છે. એટલે પરિપૂર્ણવિધિપાલન શક્ય ન હોવાથી વિશેષ શું જ કરતાં નથી... અને એમ કરીને ચૈત્યવન્દનાદિનો જે વર્તમાન વ્યવહાર છે એને પણ બંધ કરી દે છે. નવો વિશુદ્ધ વ્યવહાર તો તેઓ પ્રવર્તાવી રાકતા નથી. માટે બીજ માત્રનો પણ ઉચ્છેદ કરનારા બને છે. તે આ રીતે – પૂર્વે બતાવી ગયા કે પ્રજ્ઞાપનીય જીવનો અવિધિદોષ નિરનુબન્ધ હોય છે (એટલે અવિધિની પરંપરા ચાલવાનો પ્રશ્ન રહેતો નથી) તથા વિધિબહુમાન અને ગુર્વાજ્ઞાયોગના કારણે એનું અવિધિ અનુષ્ઠાન પણ ફળતઃ વિધિરૂપ છે. એટલે કે ભવિષ્યમાં ફળરૂપે જે વિધિયુક્ત અનુષ્ઠાન મળશે તેનું વર્તમાન અવિધિવાળું અનુષ્ઠાન એ બીજ રૂપ છે. તેથી અવિધિઅનુષ્ઠાનને બંધ કરનારો બીજનો ઉચ્છેદ કરનારો છે, એ સ્પષ્ટ છે. સ્થાનાદિપ્રયત્નપૂર્ણ ચૈત્યવન્દનાદિ (=વિધિયુક્ત અનુષ્ઠાન) એ સદનુષ્ઠાન છે આ વાત આગળ આવવાની છે. સદનુષ્ઠાનની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બીજના ન્યાસથી થાય છે એ વાત પોડાકજીમાં કરેલી છે. જે વિધિઅનુષ્ઠાનપ્રાપક હોય અને કર્મનિર્જરાકારક હોય તે પુણ્યાનુબંધીપુણ્ય જનક પણ હોય જ. એટલે અવિધિઅનુષ્ઠાનનો નિષેધ કરનારો પુણ્યાનુબંધીપુણ્યસ્વરૂપ ખીજનો પણ નિષેધ કરવા રૂપે ઉચ્છેદ કરે છે એ પણ સ્પષ્ટ છે. વળી જા જા વિજ્ર
યોગવિંશિકા...૧ ૬
218
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org