SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ જયણા... વગેરેથી જે નિર્જરા બતાવી તે પણ અટકી જાય છે, કારણ કે અનુષ્ઠાન કરે તો કંઈક પણ વિધિપાલનરૂપ જયણા આવેને નિર્જરા થાય. અનુષ્ઠાન જ ન કરે તો આ નિર્જરા નથવાથી આ નિર્જરા પ્રયુક્તકર્મલઘુતાન થાય. અને તેથી કર્મલઘુતાના કારણે જે ભવિષ્યમાં વિધિ અનુષ્ઠાન પ્રાપ્ત થવાનું હતું તે પણ નથાય. માઈદાનીતનવ્યવહારને છોડનારો બીજ માત્રનો પણ ઉચ્છેદક છે. અને બીજનો જ જેણે નાશ કરી નાખ્યો એને ભવાંતરમાં ચૈત્યવન્દનાદિરૂપ ધર્મ દુર્લભ બનવાનો.. અર્થાત્ એ દુર્લભબોધિ બનવાનો. માટે, ‘એ મહાદોષવાળો બને છે એમ અહીં કહ્યું છે. બીજી રીતે કહીએ તો ગીતાથાને સાપેક્ષવર્તમાન અનુષ્ઠાનફળતઃ વિધિરૂપ હોવાથી તથા જયણાને અનુસરીને ઓછેવત્તે અંશે પણ નિર્જરાજનક હોવાથી સત્ છે. પ્રશંસનીય છે. વીનં સરપ્રાંતિ.. ન્યાયે એની પ્રશંસા એ બીજ છે. પણ વિધિના અભિમાનવાળા જીવો, એની પ્રશંસા તો દૂર ઉપરથી. આમાં તો અવિધિ રહેલી છે. આવી રીતે કાંઈ અનુષ્ઠાન થતું હશે? આના કરતાં તો ન કરવું સારું... વગેરે રૂપે એની નિંદા કરે છે ને એ રીતે પૂર્વે સત્વશંસાદિ દ્વારા જે બીજ વાવેલું તેનો ઉચ્છેદ કરી નાખે છે, ને માટે મહાદોષવાળા બને છે. અહીંગીતાર્થજ્ઞાનિરપેક્ષા એવું જે કહ્યું છે તે એ સૂચન કરે છે કે ગીતાર્થઆજ્ઞાને સાપેક્ષ જે ઈદાનીંતન વ્યવહાર હોય એ જ માન્ય છે. એટલે ગીતાર્થ આજ્ઞાને નિરપેક્ષપણે જેઓ મનઘડત રીતે જાત જાતનો વ્યવહાર પ્રવર્તાવે છે તેઓ પણ કાંઇ દોષમુક્ત રહી શકતા નથી એ જાણવું (૨) જેઓ વિધિનું (પરિપૂર્ણ) પાલન કરે છે તેઓ વિધિસંપાદક છે. આવા જીવોને આઠ પ્રભાવકોની જેમ એક પ્રભાવક કહ્યા છે. “જબ નવિ હોવે પ્રભાવક એહવા, તબ વિધિ પૂર્વક અનેક યાત્રા-પૂજાદિક કરણી કરે તે પ્રભાવક છે..” (સમ્યક્ત સડસઠબોલની સક્ઝાય) તેઓનાવિધિયુક્ત અનુષ્ઠાનને જોઈને અનેકને વિધિની પ્રેરણા મળે છે... વળી જેઓ એમની અનુમોદના માત્ર કરે છે એમને પણ બીજ તો પડી જાય છે. આવા વિધિસંપાદક સાધકોનું દર્શન પણ વિનસમૂહનુંનાશક સ્વયં તથાવિધ સત્ત્વન હોવાના કારણે પરિપૂર્ણ વિધિપાલન કરતાં ન હોવા છતાં વિધિરસિક હોવાના કારણે જેઓ વિધિનું સમ્મનિરૂપણ કરે છે, તેઓ પ્રિસ્તુતનું નિગમની 2199 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy