________________
હવે એવી અવસ્થા નિર્માણ થયેલી છે કે કોઈ જ વચનોને સાધક યાદ કરતો નથી. અને છતાં સહજ રીતે ભિક્ષાટનાદિ ઉચિત પ્રવૃત્તિ થયા કરે છે... સંપત્તે મિક્વાણ ગમતો મમુચ્છિો .... વગેરે વચનોને યાદ કરી કરીને, સાધક ભિક્ષાને અયોગ્ય કાળ, સંભ્રાન્ત અને મૂર્છાવાળું ગમન વગેરેથી યુક્ત ભિક્ષાટનાદિ સ્વરૂપ અનુચિત પ્રવૃત્તિને ટાળવાનું અત્યાર સુધી કરતો હતો, ને એ વચનોને યાદ કરી કરીને જ ભિક્ષાકાળેજ ભિક્ષાટન કરવું - અસંભ્રાન્તપણે-મૂચ્છરહિતપણે ભિક્ષાટન કરવું.. વગેરે રૂપ ઉચિત પ્રવૃત્તિ કરતો હતો. એવું વારંવાર કરવાથી એવા સંસ્કાર ઊભા થઈ ગયા કે જેથી હવે, આ વચનોને યાદ નથી કરતો તો પણ સહજ રીતે જ અકાળસંભ્રમ-મૂછવગેરે ટળી જાય છે ને યોગ્યકાળ-અસંભ્રમ-અમૂચ્છવગેરે જળવાયા કરે છે. કારણ સ્પષ્ટ છે – અકાળ વગેરે અનૌચિત્ય લાવનારા સંસ્કારો ઘસાઈ ગયા છે ને યોગ્યકાળવગેરે રૂ૫ ઔચિત્ય લાવનારા સંસ્કારો, અત્યાર સુધીના વચનવ્યાપારથી ઉત્પન્ન થઈ ગયા છે. સાધક જિનવચનોને યાદ કરતો નથી એવું જે અહીં કહ્યું છે તે અનૌચિત્યવર્જન અને ઔચિત્યપાલનમાયાદ કરવાની જરૂર હોતી નથી એ અપેક્ષાએ જાણવું. બાકી ચિત્તને સતત ભાવિત રાખવા માટે અને વિસ્રોતસિકાગમનને ટાળવા માટે શાસ્ત્રવચનોનું પરાવર્તન તેઓને પણ હોય જ છે, એ જાણવું)
વચનાનુષ્ઠાનકાળે, જિનવચનો પ્રત્યે બહુમાન (આકર્ષણ-રાગ) હતું. તેમજ અકાળ વગેરે ટાળવાનો અભિપ્રાય અકાળ વગેરે પ્રત્યે કંઇક દ્વેષની છાયાવાળો અને યોગ્ય કાળ વગેરે જાળવવાનો અભિપ્રાય યોગ્યકાળ વગેરે પ્રત્યે કંઇક રાગની પરિણતિવાળો હતો. આ બધું પણ સામાયિની કંઇક મલિનતા કરનાર તો છે જ. શ્રીયોગશતકની ૧૭મી ગાથામાં કહ્યું છે કે -
पडिसिद्धेसु अ देसे विहिएसु य ईसिरागभावे वि। सामाइयं असुद्धं सुद्धं समयाए दोसुं पि ॥ १७॥
અર્થ: ‘પ્રતિષિદ્ધ પરષ અને વિહિત પર ઈષ રાગ હોય તો પણ સામાયિક અશુદ્ધ છે. બન્ને પ્રત્યે સમતા આવે ત્યારે સામાયિક શુદ્ધ બને છે.”
પણ, પછી તો, મોહજન્ય સંસ્કાર ક્ષીણ થયા હોવાથી અકાળ વગેરે સહજ રીતે ટળ્યા કરે છે, માટે એ પ્રતિષિદ્ધ બાબતો અંગે દ્વેષ હોતો નથી, એમ કાળ વગેરે સહજ રીતે જળવાયા કરે છે, માટે એ વિહિત અંગે રાગ હોતો નથી. એટલે આસંગન [234]
યિોગવિંશિકા...૧૮)
234
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org