SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિઅર્થ: અહીં કોઈને શંકા પડી શકે છે કે – શંકા- ક્ષપદ્મણીના દ્વિતીય અપૂર્વકરણમાં થતો સામર્થ્યયોગ જ જો અનાલંબનયોગ તરીકે ગ્રન્થકારે કહ્યો હોય, તો ક્ષપકશ્રેણિ-સામર્થ્યયોગ નહીં પામેલા, અપ્રમત્તગુણસ્થાનવર્તી, બધા જ વિકલ્પોના કલ્લોલની હારમાળા જેઓની અટકી ગઈ છે એવા અને ચિન્માત્રના પ્રતિબંધથી જેઓ રત્નત્રયના સામ્રાજ્યને ઉપલબ્ધ થયેલા છે એવા જિનકલ્પિક વગેરે મહાત્માઓને નિરાલંબન ધ્યાન હોવું જે કહ્યું છે તે અસંગત બની જશે. વિવેચનઃ અહીંક્ષપકશ્રેણિગત સામર્થ્યયોગ કે જેને જિનકલ્પિકાદિએ પ્રાપ્ત કર્યો નથી, તે સામર્થ્યયોગને જ અનાલંબનયોગ તરીકે કહ્યો છે. પૂર્વે અસંગાનુષ્ઠાન એ જ અનાલંબનયોગ છે, એ તથા ચન્દ્રનગધન્યાયે આત્મસાત્ થયેલ ભિક્ષાટનાદિ રૂપઅસંગાનુષ્ઠાન જિનકલ્પિકાદિને હોય છે એ કહેલું. એટલે આ રીતે જિનકલ્પિકાદિને પણ અનાલંબનયોગ હોવો જે કહ્યો હતો તે અસંગત કરી જશે એવી શંકાકારનો અભિપ્રાય છે. ગ્રન્થકારે ખુદે તો અનાલંબન યોગ જિનકલ્પિકાદિને કહ્યો જ છે એ આદર્શાવ્યું. અર્થાત્ જિનકલ્પિકાદિમાં અનાલંબનયોગની વિદ્યમાનતાને આજ્ઞા ગ્રાહ્ય તો દર્શાવી. વળી એ હેતુગ્રાહ્ય પણ છે એ દર્શાવવા શંકાકારે જિનકલ્પિકાદિના વિવિધ વિશેષણો વાપર્યા છે. (૧) સપ્રમત્તાસ્થાનાનાં પ્રમાદ યોગપ્રયત્નમાં શિથિલતા લાવે... પ્રમાદ નથી, અપ્રમાદ છે, માટે અપેક્ષાએ વિશિષ્ટ યોગપ્રયત્ન પ્રવર્તે જ. એટલે યોગોનું સુદઢપ્રયત્નવ્યાપારણ છે, તો ધ્યાન-યોગ શા માટે નહીં? અહીંગમત્તાસ્થાનાનો એવો જે ઉલ્લેખ છે તેનો વિચાર કરીએ... શાસ્ત્રોમાં પ્રમત્ત અને અપ્રમત્ત આ બે શબ્દોનો ઉલ્લેખ બે રીતે આવે છે. છ ગુણઠાણે રહેલા સંયતો પ્રમત્ત અને સાતમે ગુણઠાણે રહેલા સંયતો અપ્રમત્ત. આવી વિવક્ષાવાળી પ્રમત્ત અને અપ્રમત્ત બન્ને અવસ્થા નિરંતર અન્તર્મુહૂર્તથી વધારે ટકતી નથી. પણ બન્ને અવસ્થાઓનો પરાવૃત્તિ થયા કરવા દ્વારા ભેગો કાળ દેશોન પૂર્વકોડવર્ષ સુધી પણ સંભવે છે. બીજી વિરક્ષા પ્રમાણે શ્રી જિનેશ્વરદેવો, જિનકલ્પિક વગેરે અત્યન્ત ઉઘતવિહારી મહાત્માઓ અપ્રમત્ત કહેવાય છે, અને પ્રમાદબહુલ સંયમ પાળનારા સંયતો પ્રમત્ત કહેવાય છે. આ વિવક્ષા અનુસાર પ્રમત્ત કે અપ્રમત્ત... બન્ને અવસ્થા પરાવૃત્તિ વિના પણ નિરંતર ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોડ સુધી પણ મળી શકે છે. પ્રસ્તુતમાં (256) યોગવિંશિકા....૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy