SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારરૂપે તો એ અંદર પડેલો જ હોય. આનાત્રણ લાભ છે - (૧) જ્યારે પહેલેથી કોઈ સંભાવના ન હોય એવો પણ અચાનક વિવક્ષિત ગુણના ઉપાયનો કોઈ અવસર લાધી જાય તો એ ઉપાયને વધાવી લેવાનું શક્ય બને છે. (૨) જ્યારે અન્ય પ્રવૃત્તિનો અવસર હોવાથી ઉપયોગ એમાં હોય ત્યારે પણ આવી પડતો બાધક સાધનાને ઠેસન પહોંચાડી જાય એ માટે સાવચેતી મળે છે. તથા (૩) પ્રતિપક્ષી પ્રવૃત્તિકાળે પ્રતિપક્ષના આકર્ષણને એવું પ્રબળ બનવાદે કે જેથી વિવક્ષિત પ્રવૃત્તિનો રસ મોળો પડી જાય. જેમકે વેપારના અવસરે વેપારનો એવો રસ ન પેદા થવા દે કે જેથી પૂજાના અવસરે પણ વેપારનો રસ જ રહ્યા કરે... ને પૂજાનો રસ મરી જાય. કંઇક વિચિત્ર પરિસ્થિતિ સર્જાવા પર સંકલ્પ ખસી જાય તો અવિચલિત સ્વભાવવાળોનકહેવાય. જેમકેનીતિ જાળવવાનો નિર્ણય કર્યો. પણ બીજાની અનીતિ ને યોગાનુયોગ થયેલી જાહોજલાલી જોઈને કે પોતાને નીતિપાલનમાં પ્રારંભે થોડી વિકટ સ્થિતિ નિર્માણ થવા પર નીતિ જાળવવાના સંકલ્પમાંથી મન વિચલિત થઈ જાય તો પૂર્વે કરેલો નીતિનો નિર્ણય પણ અવિચલિતસ્વભાવવાળોન હોઇ પ્રણિધાન આશયરૂપ નહોતો એ જાણવું. આમાં, કામચલાઉ પ્રવૃત્તિ અટકે, પણ નિર્ણય ન ખસે તો વિપ્નથી પ્રવૃત્તિનો પ્રતિબન્ધ છે, પણ પ્રણિધાન ઊભું છે. પણ નિર્ણય જ જો ખસી જાય, તો અવિચલિતસ્વભાવ ન હોવાના કારણે પ્રણિધાન જ નથી એમ માનવું પડે. * “ક્વચિત તે નિમિત્તોના સેવનકાળમાં ( વિવક્ષિત ધર્મસ્થાનના ઉપાયોના સેવનકાળમાં) માનસ અલના થતી હોય તો પણ વાસનારૂપે અવિચલિત સ્વભાવવાળું હોય. 'વિનિતસ્વમાd પદનો આવો રહસ્યાર્થ યોગ્ય જણાતો નથી, કારણકે આવો જ જો અર્થ લેવાનો હોય તો નિમિત્તોના અસેવનકાળે પણ વાસનારૂપે (સંસ્કારરૂપે) એ જે અવિચલિતસ્વભાવવાળું હોય છે એ અર્થ મળી શક્તો નથી. અને, અસેવનકાળે જો ચિત્ત અવિચલિતસ્વભાવવાળું ન હોય તો એ વખતે વિવક્ષિતધર્મસ્થાનનો બાધક ઉપસ્થિત થવા પર સાવચેતી મળે નહીં, ને તેથી સાધનાને ઠેસ લાગી જાય. પૂર્વે જણાવ્યા મુજબ એકી સાથે અનેક સાધના સંભવિત ન રહે. વળી, જ્યાં સુધી વિવક્ષિતધર્મસ્થાનની સિદ્ધિ થઈ નથી ત્યાં સુધી નિમિત્તોનું સેવન કાંઇ સતત ચાલ્યા જ કરે છે એવું હોતું નથી. વચ્ચે વચ્ચે અન્ય સાધનાદિકાળે વિવક્ષિતસાધનાના નિમિત્તોનો અસેવનકાળ પણ આવ્યા કરે છે. પણ એ વખતે પણ ચિત્ત અવિચલિતસ્વભાવવાળું જોઈએ જ એવું ષોડશજીની વૃત્તિમાં તત્સિદ્ધિ યાવતું' એવા શબ્દો દ્વારા સ્પષ્ટ રીતે જણાવ્યું જ છે. અિવિચલિત સ્વભાવ (23) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy