________________
ન કરે એવું ચિત્ત ઘડવું જોઇએ. ક્યારેક સંસ્કારવશાત્ સ્વાર્થ ધસી આવે તો પણ એના પશ્ચાત્તાપ – પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા પરોપકારની વાસનાનું ઘડતર અક્ષત રાખવું જોઇએ. ‘પર’ વ્યક્તિઓ ત્રણ કક્ષાની હોય છે. પોતાના કરતાં નિમ્ન, સમાન અને અધિક. ભક્તિ ઐચ્છિક છે... પણ આ ત્રણે પ્રત્યે સહાયકતા તો જોઇએ જ. એટલે વિહાર કરીને આવેલા મહાત્માના મુખ પર થાક સ્પષ્ટ વરતાતો હોય... ને છતાં સહાયક ન બનીએ... એમને ગોચરી ન લાવી આપીએ... અથવા યોગ્ય ઘર વગેરે ન બતાવીએ... તો ચારિત્રમોહનીય બંધાય... સંયમસ્થાનમાં નીચે ઉતરવાનું થાય. વળી એમાં દર્શનાચારનું પણ પાલન ન થવાથી એનો પણ અતિચાર - ભંગ લાગે. એટલે પરોપકારવાસિતચિત્ત ન કહેવાય.
આમાં વિવક્ષિત ધર્મસ્થાનનો પરોપકાર મુખ્ય સમજવાનો છે. અન્ય બાબતોનો પરોપકાર પણ સામાન્ય તો હોય જ.
प्रणिधानं तत्समये स्थितिमत्तदधः कृपानुगं चैव ।
निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ॥ ( षोड. ३-७) तत्समये = प्रतिपन्नधर्मस्थानमर्यादायां स्थितिमत् = अविचलितस्वभावं तदधः = स्वप्रतिपन्नधर्म स्थानादधस्तनगुणस्थानवर्तिषु कृपानुगं करुणापरं, न तु हीनगुणत्वात्तेषु द्वेषान्वितम्,
વુમમ્ ॥
शेषं
=
વૃત્તિઅર્થ : પોડાક (૩-૭) માં કહ્યું છે કે સ્વીકૃતધર્મસ્થાનની મર્યાદામાં સ્થિરતાવાળું, તધોવર્તી જીવો પર કરુણાસભર અને પરાર્થનિષ્પત્તિપ્રધાન એવું નિરવદ્યવસ્તુવિષયક ચિત્ત એ ‘પ્રણિધાન’ છે. (અ શ્લોકના કેટલાક રાબ્દોનો વિશેષાર્થ) તત્સમયે=સ્વીકૃતધર્મસ્થાનની મર્યાદામાં સ્થિતિમત્-અવિચલિતસ્વભાવવાળું. તધઃ = પોતે સ્વીકારેલા અહિંસાદિ ધર્મસ્થાનથી નીચલા ગુણસ્થાનમાં રહેલા જીવો પ્રત્યે કૃપાનુગ-કરુણાતત્પર (ચિત્ત જોઇએ), નહીં કે તેઓ હીનગુણી હોવાથી તેઓ પરના દ્વેષવાળું. બાકીના પદો સુગમ છે.
વિવેચનઃ અવિચલિતસ્વભાવ - વિવક્ષિત ધર્મસ્થાનને સાધવાનો જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી જ્યાં સુધી સિદ્ધિ ન થાય ત્યાં સુધી એ સંકલ્પ ઉપયોગરૂપે કે સંસ્કારરૂપે ચિત્તમાં રમતો રહેવો એ અવિચલિતસ્વભાવ કહેવાય. જ્યારે ધર્મસ્થાનના ઉપાયની પ્રવૃત્તિ હોય ત્યારે તો ઉપયોગરૂપે પણ હોય, પણ એ સિવાય પણ
22
યોગવિંશિકા...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org