________________
સિદ્ધયોગીના પ્રભાવે વિશિષ્ટ ક્ષયોપશમ પ્રગટ થઈ શકે છે. આ બધું જ સિદ્ધયોગીનું પરગતસ્વસદશફળસંપાદકત્વ છે.
ઇચ્છા વગેરે આ ચાર ભેદોને જણાવવા માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રી અધ્યાત્મસારમાં નીચે પ્રમાણે બે શ્લોક કહેલા છે –
ઇચ્છા તદ્ધત્કથાપ્રીતિયુક્તાકવિપરિણામિની . પ્રવૃત્તિ પાલન સમ્યફ સર્વત્રોપશમાન્વિતમ્ II ૩-૮૭ સજ્જયોપશમોત્કર્ષાદતિચારાદિચિન્તયા રહિત તુ સ્થિરં સિદ્ધિઃ પરેષામર્થસાધકમાં ૩-૮૮
અર્થ: સ્થાન વગેરે યોગવાળા યોગીઓની કથામાં પ્રીતિવાળી અને અવિપરિણામિની એવી પરિણતિ એ ઇચ્છાયોગ છે. (આવી કક્ષાવાળી પરિણતિ પૂર્વક થતો સ્થાનાદિ ધર્મવ્યાપાર એ ઇચ્છાયોગ છે. આમાં અવગ્રહ મૂકીને અવિપરિણામિની એવો શબ્દ લઈએ તો- સ્થાનાદિયોગને યથાઉલ્લાસ સેવવાની ઇચ્છાનો વિપરિણામ = વિમુખ પરિણામન થઈ જાય એવી પરિણતિ - આવો અર્થ જાણવો.
અને જો અવગ્રહનો પ્રક્ષેપન કરવાનો હોય તો વિપરિણામિની શબ્દ મળે જેનો પૂર્વવતુવિશેષ પરિણામની આધાયક પરિણતિ - એવો અર્થ જાણવો.) સર્વત્ર ઉપશમયુક્ત સમ્યક્ષાલન એ પ્રવૃત્તિયોગ છે. સયોપશમનો ઉત્કર્ષ થવાથી અતિચારાદિની ચિન્તા રહિતપણે થતું પાલન એ સ્થિરયોગ છે. અન્યમાં પણ અહિંસાદિ અર્થનું સાધક બને એવું યોગસેવન એ સિદ્ધિ યોગ છે.
પ્રણિધાન વગેરે પાંચ આશયોમાં પ્રણિધાનથી પ્રારંભ છે ને વિનિયોગમાં સમાપ્તિ છે. અર્થાતુ પ્રણિધાનાદિ પાંચ કમિક છે. એ જ રીતે ઇચ્છાયોગથી પ્રારંભ થાય છે ને આગળ વધતાં વધતાં છેવટે સિદ્ધિયોગ આવે છે. માટે ઇચ્છાદિ ચાર ભેદો પણ કમિક છે. પણ સ્થાન-ઊર્ણ વગેરે પાંચ યોગો માટે એવું નથી. તેથી જણાય છે કે સ્થાન-ઊર્ણ વગેરેમાં પ્રણિધાન – પ્રવૃત્તિ વગેરે આશયો પણ હોય છે ને ઇચ્છા - પ્રવૃત્તિ વગેરે યોગો પણ હોય છે. અલબત્ પ્રણિધાન વગેરે પણ કથંચિત્ ક્યિારૂપ છે જ, છતાં ગ્રન્થકારે સ્વયં કહ્યા મુજબ એમાં આશયની જ પ્રધાનતા છે. એમઇચ્છાયોગ વગેરેમાં પણ અંદરની નિરુપાધિક ઇચ્છા વગેરે રૂપ પરિણામ ભળેલા હોય જ છે,
(96)
યોગવિંશિકા.. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org