SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય – એ પૂર્વે આવી ગયું છે.) એટલે અહિંસાની સિદ્ધિ પામેલા યોગીઓના સાન્નિધ્યમાં સિંહ-વાઘ-સાપ વગેરે પણ હિંસકભાવને ભૂલી અહિંસક બની જાય છે. માટે જ સમવસરણમાં બકરી વાઘની બાજુમાં પણ નિરુપદ્રવપણે બેસી શકે છે. અહીં આવી વિશેષતા જાણવી, જીવોના કર્મ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવની અસર હોય છે. જેવા જેવા દ્રવ્યાદિ મળે એને અનુસરીને કર્મોના ઉદયની મંદતા (ક્ષયોપશમ) કે તીવ્રતા થાય છે. અહિંસાની સિદ્ધિ પામેલા યોગી એ એક એવું દ્રવ્ય છે કે જે, સમીપવર્તી જીવને હિંસામાં પ્રેરે એવા જે કર્મો ઉદયમાં હોય એને મોળા પાડી દે છે ને તેથી એ હિંસક જીવ પણ એમના સાન્નિધ્યમાં હિંસા આચરતો નથી. શ્રી હરિભદ્રઅષ્ટકમાં પ્રભુના સંવત્સરીદાનની વાત આવે છે. એ અંગે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કાત્રિ દ્ધાત્રિંશિકા ગ્રન્થમાં જણાવ્યું છે કે પરમાત્મા નિષ્પરિગ્રહતાની સિદ્ધિને વરેલા છે. એટલે યાચના માટે આવેલા યાચકોનું સોપકમ લોભમોહનીયકર્મ લોભ પેદા કરાવવા માટે અસમર્થ બની જવાના કારણે યાચકોને સંતોષગુણ પ્રગટ થાય છે ને તેઓ યાચના જ કરતા નથી. પણ જે યાચકોનું લોભમોહનીયકર્મ નિરુપક્રમ હોય છે તેના પર સિદ્ધયોગી સ્વરૂપ પરમાત્મા દ્રવ્યની અસર થઈ શકતી નથી, ને તેથી તેઓ યાચના કરે છે. એટલે દાનનો નથી સર્વથા અભાવ થતો કે નથી અપરિમિત દાન થતું.. પણ પરિમિત દાન થાય છે. આવું જ પ્રસ્તુતમાં જાણવું. સ્થાનાદિના સિદ્ધયોગીના સાન્નિધ્યમાં આવેલા જીવનું કર્મ સોપકમ હોય તો એ સ્થાનાદિ જાળવનારો બને જ છે. પણ જો કોઈકનું એ કર્મ નિરુપકમ હોય તો એ સિદ્ધયોગીના સાન્નિધ્યમાં પણ સ્થાનાદિ ન જાળવે એવું શક્ય છે. સોપકમકર્મવાળા જીવો પણ જોયોગ્યન હોય, તો, સ્થાનાદિનો માત્ર યોગ થાય છે, પણ વિનિયોગનથી થતો. જો એ જીવો યોગ્ય હોય, પણ સ્થાનાદિ માટે હજુ ઇચ્છાવાળાનહોયકે પ્રયત્નશીલન હોય, તો આ સિદ્ધયોગીના પ્રભાવે એમના કર્મનો થોડો ઘણો પણ ક્ષયોપશમ થવાથી તેઓને સ્થાનાદિની નિરુપાધિક ઇચ્છા પ્રગટ થાય પછી એ માટે પ્રયત્નશીલ બને (અર્થાત સ્થાનાદિયોગમાં જોડાય) ને મશઃ સિદ્ધિ સુધી પહોંચે છે. ને કેટલાક યોગ્ય જીવો સ્થાનાદિ માટે પ્રયત્નશીલ પણ હોય, પણ છતાં હજુ તેવા વિશિષ્ટ ક્ષયોપશમ રૂપ શુદ્ધિ પામ્યા ન હોય, તો તેવા જીવોને પિરગતસ્વસદશફળ સંપાદક્તા) 9િ5 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy