________________
સિદ્ધ કર્યું છે તેઓના સાન્નિધ્યમાં અસત્યપ્રિય જીવો અસત્ય બોલી શક્તા નથી. આ જ પ્રમાણે બધા ધર્મસ્થાનો અંગે જાણવું. ગાથામાં ‘ઇતિ’ શબ્દ જે રહેલો છે તે ઇચ્છા વગેરે ચાર ભેદનું નિરૂપણ પૂર્ણ થયું એમ પરિસમાપ્તિ જણાવનાર છે. આ અંગે મારો (વૃત્તિકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજનો) બનાવેલો આવો શ્લોક છે -
(શ્લોકાર્થ :) તે સ્થાનાદિયોગવાળા યોગીઓની સ્થામાં પ્રીતિ એ ઈચ્છા છે, ઉપશમયુક્ત પાલન એ પાલન (પ્રવૃત્તિ) છે. દોષનો ભય ખસી જવો (એવી અવસ્થા) એ ઐર્યયોગ છે, ને પરાર્થતા આવે એ સિદ્ધિયોગ છે.
વિવેચનઃ (૧) સ્વસ્મિન્ - પુષ્ટિની જેમ શુદ્ધિ પણ સાનુબન્ધ હોવાથી ઉત્તરોત્તર વધતી જાય છે. વધુ શુદ્ધિપૂર્વક થયેલું અનુષ્ઠાન ઓર વધુ શુદ્ધિને મોહનીય કર્મના ક્ષયોપશમને પ્રગટ કરે છે. માટે વિશેષ પ્રકારના ઉપદમાદિફળનું જનક બને છે. આશય એ છે કે સિદ્ધિયોગના પણ અસંખ્ય પેટભેદ છે. એટલે, પ્રતિબન્ધક કર્મના, અપેક્ષાએ કંઇક અલ્પ એવા ક્ષયોપશમ (ઉપશમ) થી થયેલું યોગસેવન અધિક માત્રાવાળા ક્ષયોપશમને ઉત્પન્ન કરે છે. પછી એવા અધિકમાત્રાવાળા ક્ષયોપશમપૂર્વક થયેલુંયોગસેવન ઓર અધિકમાત્રાવાળાક્ષયોપશમને પ્રગટ કરે છે.. આમ ઉત્તરોત્તર ચાલે છે. યાવતું એક એવું સિદ્ધિભેદનું યોગસેવન થાય છે જે ક્ષાયિકભાવને પ્રગટ કરે છે. ઉપશમવિશેષાદિઉં...” જે કહ્યું છે તેમાં આદિ શબ્દથી આ ક્ષાયિક ભાવાત્મક ફળ વગેરેનો સમાવેશ જાણવો. (ક્યારેક જેમણે સ્વયં તપ સિદ્ધર્યો નથી. બાહ્યદષ્ટિએ પણ પોતે તપસ્વીન હોય.. ને છતાં એમની નિશ્રામાં, બીજા તપસ્વીની નિશ્રા કરતાં પણ ઠેકગણી તપશ્ચર્યા થાય એવું પણ જોવા મળે છે. એમાં એમના પ્રબળ પુણ્યોદયને કારણ માનવાનું રહે છે. એટલે જણાય છે કે બીજાને ધર્મમાં જોડવા માટે પુણ્યોદય પણ આવશ્યક હોય છે.) સાનુબન્ધ પુષ્ટિથી પુણ્યોપચય વધતાં વધતાં એવો વધે છે કે જેથી પછી, ઉપદેશ આપ્યા વગર પણ, એમના સાન્નિધ્ય માત્રથી ભાવુકો તે તે ધર્મસ્થાનમાં જોડાઈ જાય છે. આ પરાર્થસંપાદકતા છે. પોતાને સિદ્ધિ ને પછી વિનિયોગ આશય પણ પ્રગટ થયો હોય, ને સામા જીવની ભૂમિકા યોગ્યતા હોય તો, સામા જીવનું દ્રવ્યધર્મમાં થયેલું આ જોડાણ એના આત્મામાં ભાવધર્મ પેદા કરવાનું પણ અવધ્ય કારણ બને છે, ને એ ન હોય તો પણ એમના સાન્નિધ્યમાં દ્રવ્યધર્મમાં તો જોડાણ થાય જ છે, એ જાણવું. (પણ, એ વિનિયોગ ન
(94)
યોગવિંશિકા....૫-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org