SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સતિવારત્વય્િ - પ્રવૃત્તિ યોગમાં પણ યથાવિહિત પાલન હોવાથી અતિચાર હોતા નથી. છતાં, એને અહીં સાતિચાર જે કહ્યો છે એનું રહસ્ય એ છે કે જેમ વિવક્ષિત કાળે, કર્મઉદયમાં આવીને અપાયરૂપ બન્યું ન હોવા છતાં, ભવિષ્યમાં અપાયરૂપ બને એવું સત્તામાં હોવાથી, વિવક્ષિતકાળે વાસ્તવિક અપાય વિનાના પણ યોગને ગ્રન્થકાર સાપાયે કહેવાના છે, એમ પ્રસ્તુતમાં, વિનોપસ્થિતિકાળે અતિચાર લાગવાની વર્તમાનમાં ભૂમિકા છે, માટે એને ‘સાતિચાર કહ્યો છે. વિધ્વજય આશય કેળવાયો ન હોવાથી વિપ્નની અનુપસ્થિતિમાં પણ ચિન્તા રહ્યા કરે છે. ગોચરી નિર્દોષ વાપરવાની ઇચ્છા છે. પણ માંદો પડીશ તો? આ ચિન્તા રહ્યા કરે છે, ને એ ચિન્તા, માંદો પડીશ તો કંઇક દોષ સેવી લઇશું... એવી અવ્યક્તપણે પણ... ઊંડે ઊંડે અપેક્ષા ઊભી રખાવે છે, માટે પણ એ સાતિચાર કહેવાય છે. સ્થિરયોગવાળા તો વસ્તુતઃ માંદગી આવી જાય તો પણ સત્ત્વથી યથાવિહિત પાલન જ કરે છે, દોષસેવનની ઊંડે ઊંડે પણ કલ્પના હોતી નથી. માટે નિરતિચાર છે. કોષ્ટબુદ્ધિવાળાને જેમ પુનરાવર્તન ન કરે તો પણ યાદ જ રહે. એમ એવો ક્ષયોપશમ સ્થિરયોગમાં પ્રગટ્યો હોય છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ યથાવિહિત પાલન જ થાય. सर्व-स्थानादि 'स्वस्मिन्नुपशमविशेषादिफलं जनयदेव परार्थसाधकं स्वसन्निहितानां स्थानादियोगशुद्ध्यभाववतामपि तत्सिद्धिविधानद्वारा परगतस्वसदृशफलसंपादक पुनः सिद्धिर्भवति। अत एव सिद्धाहिंसानां समीपे हिंसाशीला अपि हिंसां कर्तुं नालम्। सिद्धसत्यानाञ्च समीपेऽसत्यप्रिया अप्यसत्यमभिधातुं नालम् । एवं सर्वत्रापि ज्ञेयम् । इतिः इच्छादिभेदपरिसमाप्तिसूचकः । अत्रायं मत्कृतः सङ्ग्रहश्लोकः इच्छा तद्वत्कथाप्रीतिः पालनं शमसंयुतम्।। पालनं (प्रवृत्तिः) दोषभीहानिः स्थैर्य सिद्धिः परार्थता ।। इति ॥ ६॥ વૃત્તિઅર્થ સ્થાન-ઊર્ણ વગેરે પોતાનામાં વિશેષ પ્રકારના ઉપશમ વગેરે ફળને ઉત્પન્ન કરે અને એની સાથે જ, જેઓસ્થાનાદિયોગશુદ્ધિથી શૂન્ય છે એવા પણ સ્વસંનિહિતજીવોમાં તે સ્થાનાદિની સિદ્ધિ કરવા દ્વારા પરગત સ્વસદશફળસંપાદક બને (અને એ રીતે પરાર્થસાધક બને) આ કક્ષાએ પહોંચેલું સ્થાનાદિનું સેવન એ સિદ્ધિયોગ છે. એટલે જ જેઓએ અહિંસાને સિદ્ધ કરી છે એવા યોગીઓની સમીપે હિંસાશીલ પ્રાણીઓ પણ હિંસા કરવા માટે સમર્થ રહેતા નથી. એમ જેમણે સત્ય [સિદ્ધિયોગ) (93) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy